________________
૬૮: આભના ટેકા
ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશ: પ્રણામ
વીરજી ભાવસાર. પૂર્વભવથી સાથે ખાસું જમા પાસું લાવેલા. આવ્યા અહીં, પણ આંખ તો અગમ લોકમાં મંડાયેલી. '
મુનિ મહારાજ થોભણવિજયજી મહારાજ નામના ભેરુ મળી ગયા અને સરનામું મેળવી લીધું. માએ લગ્નની બેડી પગમાં નાખી હતી. પણ, એને ગણકારે એ બીજા !
એ તો ઉપડ્યા નાતમાં ભળવા માટે. ઠેઠ પંજાબના ક્ષેત્ર જોડે એ લેણું નીકળ્યું. ચોપડે લખેલા લેખ મિથ્યા ન થાય.
પણ, થોડો ખાંચો પડ્યો. એ કાળમાં પણ માડી પગેરું શોધતાં પંજાબ જઈ ચડ્યાં. બે-ચાર સગાંને પણ સાથે લઈ ગયાં હતાં. વીરજી ભાવસારને માંડમાંડ સમજાવ્યા અને ઘરે પાછા લઈ આવ્યા ! દીકરા પાસે વચન લીધું : એક દીકરો થઈ જાય, પછી તું છૂટો !
માનું વેણ ન ઉથાપ્યું. ઘરમાં આવીને રહ્યા તો ખરા પણ મન તો પંજાબમાં મૂકીને આવેલા. દિવસ ને રાત, શ્વાસે શ્વાસે, બસ એ જ ધૂન, એક જ લગન : ક્યારે છૂટું આ કેદખાનામાંથી... સંસાર માંડીને બેઠેલા. આમતેમ માડીના કામ કરે.
એક દિવસ બપોરે માએ વીરજીને કહ્યું કદાચ જરૂર પડે તો કામ આવે, માટે થોડું ઘી લેતો આવ ને ! તપેલી અને પાવલી લઈ ઘવાળાની દુકાને જઈ વીરજી ઊભો રહ્યો. ઘરાકી ઘણી હતી એટલે દુકાનદારે કહ્યું કે ખમો ! હમણાં દઉં છું. ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો અને વીરજીની સામે જોઈને બોલ્યો : ઝટ જાઓ. તમારે ઘેર દીકરો આવ્યો છે !
હે! બોલતાં જ વીરજીએ તપેલી અને પાવલી દુકાનદારને આપી. કહી દીધું : ઘી ઘરે પહોંચાડી દેજો અને પછી કહેજો કે વીરજી પંજાબ દીક્ષા લેવા ગયો છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org