________________
આભના ટેકા : ૬૭
પોતાની રજુઆત કરી, પછી આતુરતાથી રાહ જોતાં, જાજમ પર સ્થાન લીધાં.
ચો-તરફ ઉત્કંઠાભરી શાંતિ છવાઈ હતી. ત્યારે એક બહેન, પ્રૌઢ વયના પણ ટટ્ટાર ચાલે, પૂજ્યશ્રી નજીક આવી, હાથ જોડી ઊભા રહી, હૈયામાં હતા એટલા હેત-હામ-હિંમત ભેગાં કરી કહ્યું :
કૃપાળુ ! એક પ્રશ્ન પૂછવો છે. રજા મળે તો પૂછું. અનેક લોકોની કુતૂહલભરી નજર ત્યાં નોંધાઈ રહી. બધાના કાન એક થઈને, બોલાતાં શબ્દો સાંભળી રહ્યા. કૃપાળુએ સંમતિ દર્શાવી. બહેન બોલ્યા :
દુનિયાના બહારના પદાર્થોને તો હજાર કિરણવાળો સૂરજ અજવાળે છે, રાહ દેખાડે છે; પણ જે ભંડકિયામાં, ભોયરામાં હોય તેને કોણ અજવાળે !
મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે ત્યાં દીવડી કામ લાગે. વળી પૂછ્યું : બહેન, કયા ગામના છો? બહેન કહે છે : સૌરાષ્ટ્રમાં એક ખૂણામાં દરિયા કાંઠે દીવ નામે ગામ છે. ત્યાં કોણ આવે !
ભરી સભા આ બહેનને, દંગ થઈ જોઈ રહી. એના ભાવ ભીના હૃદયે થયેલી વિનંતિના શબ્દો સાંભળી જ રહ્યા. બહેનના હૃદયનો ભાવ જોઈ, પૂજ્યશ્રીએ એ દિશા, એ ગામ માટે ક્ષેત્ર સ્પર્શના જણાવી. ગગનભેદી જયનાદથી આ સંમતિને વધાવી લેવામાં આવી.
આ બહેન તે દીવના લાડકીબાઈ. પૂજ્યશ્રી ઊના પધાર્યા. ત્યાં જ ૧૫૦ -૧૬૫૧ તેમજ ત્રીજું ૧૬પરનું ચાતુર્માસ પણ લાડકીબાઈના આગ્રહથી ઊનામાં સ્વીકાર્યું! છેલ્લે વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે મહાપ્રયાણ થયું, કાળધર્મને પામ્યા. સ્વર્ગસ્થ થયા. અંતિમ ક્રિયાની પાલખી વગેરેમાં પણ મહત્તમ યોગદાન આ લાડકીબાઈનાં જ રહ્યા,
પૂશ્રીને ભાવપૂર્વક વિનંતિ કરી જાણી, લાભ લઈ જાણ્યો અને વર્ધમાન ભાવોલ્લાસથી જન્મને ઉજમાળ કરી જાણ્યો. જીવતરને રળિયાત કરી જાણ્યું.
આમ, પૂજ્ય જગદ્ગુરુવરના જીવનમાં પ્રારંભ, મધ્ય અને અંતિમ તબક્કામાં જાજરમાન આ ત્રણ શ્રાવિકાઓએ લાભ લીધો એ જાણી આપણને હરખના આંસુ આવી જાય તેમ છે. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org