________________
૬૬ : આભના ટેકા
લાગ્યા. કંઈ સમજાયું નહીં, ભારે કૌતુક થયું. પાસે ઊભેલા અનુચરને પૂછ્યું કે આ શું છે ? જેટલી સમજ હતી તેટલું તેણે સમજાવ્યું. બાદશાહને આ સાંભળી આશ્ચર્ય થયું. અસંભવ પણ લાગ્યું.
ઉપવાસ, અને તે પણ આટલા બધા દિવસો સુધીના લાંબા સમયના કેમ હોઈ શકે ? રાજાને રસ પડ્યો. તપાસ કરાવી. ચોકીયાત પણ બેસાડ્યા! બધું અણિશુદ્ધ જણાયું. આવી તપશ્ચર્યા જાણી અહોભાવ થયો અને પૂછ્યું : આવું અદ્ભુત અને આશ્ચર્યકારી તપ કયા કારણે અને કયા નિમિત્તે થઈ શકે ? ચંપા શ્રાવિકાનો ઉત્તર હતો ; ‘શ્રી દેવ ગુરુ પસાય’. અકબર બાદશાહે ઓર જિજ્ઞાસા પ્રગટ કરી. તપસ્વિની ચંપા શ્રાવિકાએ કહ્યું : પાલિતાણાના દાદા તે દેવ અને આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી તે ગુરુ. તેમની કૃપાના પ્રભાવે આ દીર્ઘકાળનો દુષ્કર તપ સાધ્ય થઈ શક્યો છે. વધુ ઈંતેજારીથી બાદશાહે શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની વિગત પૂછી : હાલ ક્યાં છે ? જવાબ મળ્યો કે તેઓશ્રી ગુજરાતમાં ગાંધાર ગામે બિરાજમાન છે. પછી તો બાદશાહનું તેડું ગયું અને પૂજ્યશ્રી દિલ્હી પધાર્યા. અકબર બાદશાહ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને પૂજ્યશ્રી જગદ્ગુરુ તરીકે અઢારે આલમમાં પંકાયા. અહિંસાના ફરમાનો મળ્યા વગેરે બન્યું.
આ ઘટના તેઓના મધ્યાહ્નકાળમાં બની તેમાં નિમિત્ત આ મહાપ્રભાવશાલિની તપસ્વિની ચંપા શ્રાવિકા બન્યા.
હવે આવે છે પૂજ્યશ્રીના આખરી વર્ષોની ઘટના. વિ.સં.૧૯૫૦ના વર્ષમાં ઘણા વર્ષો બાદ પૂજ્યશ્રી તરણ-તારણ જહાજ શ્રી ગિરિરાજની સ્પર્શના કરવા પધાર્યા. યાત્રા કરી આદીશ્વર દાદાને ભેટ્યા. શ્રી પુંડરીકસ્વામીના ચોકમાં દેશના ચાલી. દેશનાના અંતે અનેક પુણ્યાત્માઓએ વિધવિધ વ્રત-નિયમપ્રતિજ્ઞાઓ લીધા. પછી આવ્યો તબક્કો ચાતુર્માસ માટેની વિનંતિનો. બાવન સંઘો અકિત્રિત થયા હતા. ગુજરાતમાંથી ખંભાત-પાટણ-રાધનપુર-રાજનગરસુરત જેવા શહેરોના તથા રાજસ્થાન-મેવાડ તરફના સંઘો હાજર હતા. અતિશય બહુમાન સહ, ભાવ-વિભોર થઈને બધા, પૂજ્યશ્રી પોતપોતાના ગામ-નગર પધારવા વિનંતિ કરી રહ્યા હતા. એક પછી એક એમ સહુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org