________________
આભના ટેકા: ૬૫ એક દિવસના કેટલા કહે છે ? મને પંડિતજીના નામ-ઠામ આપો. જવાબ મળ્યો સૂરજપોળમાં પંડિત હરદત્ત શાસ્ત્રી.
શ્રાવિકાએ તરત કહ્યુંઃ આપ સુખેથી ભણજો. જેટલું જ્ઞાન લેવાય તેટલું લેજો. રકમની લેશ માત્ર પણ ફિકર ન કરશો. અમારી સંપત્તિનો આ જ સદુપયોગ છે.
બીજા જ દિવસથી પાઠ શરૂ થઈ ગયા. એક પછી એક ગ્રન્થો, નન્યાયના તથા સાંખ્ય-મિમાંસા વગેરે દર્શનશાસ્ત્રના.ગ્રન્થો સારી રીતે ભણાવા લાગ્યા. અભ્યાસી મુનિવરોની તત્પરતા અને ખંત જોઈને પંડિતજી ખુશખુશાલ થઈ ગયા.
આ મુનિ મહારાજ તે આચાર્ય હીરવિજયસૂરિ મહારાજ. શ્રાવિકા સાથે વાત કરનાર તે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ અને જાજરમાન શ્રાવિકા તે જસમાઈ
હવે દશ્ય બદલાય છે. જગદ્ગુરુ શ્રી હીરવિજય સૂરિ મહારાજનો મધ્યાહ્ન તપે છે. અકબર બાદશાહનું શાસન ચાલે છે.
સ્થળ છે રાજધાની દિલ્હી શહેરના ચાંદની ચોક વિસ્તારનો રાજમાર્ગ. વાજીંત્રના સુમધુર સરોદોથી વાતાવરણ ગુંજી રહ્યું છે. શોભાયાત્રામાં સાજનમાજન મલપતી ચાલે આગળ વધી રહ્યા છે. પ્રભુ મહાવીરના જયનાદ ચારે તરફ ગાજી રહ્યા છે. વાતાવરણમાં ભારે ઉત્તેજના છવાઈ છે.
આ શોભાયાત્રાના મધ્ય ભાગમાં એક મ્યાનો છે. મ્યાનો હોય પાલખી જેવો; પાલખી ખુલ્લી હોય, જ્યારે માનાને બારી-પડદા હોય છે, તેથી તે બંધ હોય. આ માનામાં તપસ્વિની ચંપા શ્રાવિકા બિરાજમાન છે. એક સો એંસી(૧૮૦) દિવસના ઉપવાસ કરવાની ભાવનાથી તપ આદર્યું છે. દિલ્હી શહેરના મુખ્ય મુખ્ય જિનાલયો જુહારવા અર્થે શ્રી સંઘ સાથે આ 'તપસ્વિની જઈ રહ્યા છે.
વાજીંત્રના કલ-નિનાદ, માણસોના જયજયકાર નાદ અને ભીડના કોલાહાલ સાંભળી બાદશાહ અકબર ઝરૂખામાં આવીને મેદની નિહાળવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org