________________
આભના ટેકા: ૬૩ હવે સાધ્વીજી ચંદ્રયશ રાજા પાસે પહોંચ્યા. કહ્યું: દીકરા, તે આ શું માંડ્યું છે? તારા લઘુ બંધુ સામે તું યુદ્ધ ચડ્યો છે? રાજા કહે છે. સાધ્વી થઈને તમે અહીં સમરાંગણમાં કેમ આવ્યા? સાધ્વીજીએ કહ્યું: દીકરા, તને જાણ કરવા કે નમિ તારો નાનો ભાઈ છે ! ચંદ્રયશ કહે એ મારો નાનો ભાઈ ક્યાં છે? સાધ્વીજીએ કહ્યું : જે નગરને તમે ઘેરો ઘાલ્યો છે તે નગરના રાજા તમારા નાના ભાઈ છે !
એક મહા દુર્ઘટનામાંથી ઉગર્યાના આનંદ સાથે, ચંદ્રયશ તુરત રાજા નમિને મળવા ચાલ્યા. ભાઈને આવતો જોઈ નમિ રાજા સામે ગયા. બન્ને ભાઈઓ હેતથી ભેટ્યા. બધે અપાર હર્ષ અને આનંદની છોળ ઊડી. બન્ને ભાઈઓએ સુવ્રતા સાધ્વીજીને ભાવપૂર્વક વંદન કર્યા.
ચંદ્રયશ રાજાએ નમિરાજાને કહ્યું : આજે જ મને ખબર પડી કે તમે મારા નાના ભાઈ છો ! મારા રાજ્યની ધુરા સંભાળનાર કોઈ ન હોવાથી મેં આજ સુધી સંભાળ્યું. હવે તમે આ રાજ્ય પણ સંભાળો. મારા સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવું છે. અને ચંદ્રયશ દીક્ષા લઈને સંયમને પંથે વળ્યા.
નમિએ પણ પોતાને જ્યારે દાહવર થયો ત્યારે એકત્વભાવનાથી ભાવિત થઈને સંસાર ત્યાગ કરી કલ્યાણ સાધ્યું. શક્રેન્દ્ર મહારાજાએ તેમના વૈરાગ્યની પરીક્ષા કરી ત્યારે તેમાં પણ ઉત્તીર્ણ થઈને, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
સાધ્વી સુવ્રતા પણ તપ કરી, કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા, અનુક્રમે મોલે પધાર્યા. મદનરેખા સાધ્વી તરીકે જીવ્યા તેમનું સત્ત્વ કેટલું બધું ! નિર્મોહી અવસ્થા એટલી બધી કે દીકરાનું મો જોવા પણ ન ગયા! આવા વૈરાગી જીવ માટે પ્રભુ શાસ્ત્રો ફરમાવી ગયા છે.
આંસુ વિનાની કથા વાંચતાં આપણી આંખ જરૂર ભીની થાય છે અને આવી વિભૂતિને નમે છે. ધન્ય મદનરેખા! ધન્ય તેમનો પરિવાર ! ધન્ય! 2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org