________________
૬૨ : આભના ટેકા
સંયમ લઈને તપોમય જીવન-સાધના વડે મોહનીય આદિ ઘાતિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષે પધાર્યા. મિથિલા નગરીમાં મિરાજાએ રાજ્ય શાસન ઉજાળ્યું.
આ બાજુ મણિરથ રાજાનું સર્પદંશથી મૃત્યુ થયા પછી તે જીવ મોચી તરીકે ઊપન્યો. તેના સ્થાને મદનરેખાના મોટા દીકરા ચંદ્રયશને રાજગાદી પર સ્થાપન કરવામાં આવ્યા.
એકદા, નમિરાજાના રાજ્યમાંથી ઐરાવત જેવો શ્વેત હાથી સાંકળ તોડીને વિંધ્યાચળ તરફ ભાગી નીકળ્યો અને ત્યાંથી ચંદ્રયશ રાજાની રાજ્યસીમામાં પેઠો. રાજાના સૈનિકો, આવા વિશિષ્ઠ ગજરાજને જોતાં જ તેને પકડી, વશ કરી રાજાની હસ્તિશાળામાં લઈ ગયા. મિ રાજાને આની જાણ થતાં જ દૂતોને મોકલ્યા અને હાથી પાછો મેળવવા માંગણી કરી.
કબજો હંમેશા બળવાન હોય છે. ચંદ્રયશ રાજા કહેવરાવે છે : રણનું નીતિશાસ્ત્ર ભણી લ્યો. વીરભોગ્યા વસુંધરા છે. આ હાથી એમ નહીં મળે. જોઈએ તો બળ અજમાવી જુઓ. સંગ્રામભૂમિ પર ફેંસલો થશે.
દૂત આવો સંદેશ લઈ આવે છે એટલે નિમ રાજા યુદ્ધની તૈયારી કરે છે. ત્યારે મંત્રી સલાહ આપે છે કે આપને નગર છોડી જવાની જરૂર નથી. રાજા નગરમાં જ રહ્યા તો ચંદ્રયશ રાજા લશ્કર લઈને ચડાઈ લઈ આવ્યા. નગરને ઘેરી લીધું.
બેઉ બળીયા રાજાની માતા, હવે સુવ્રતા સાધ્વીજી, આ જાણી વ્યથિત થયા. ગુરુણીની આજ્ઞા લઈ, યુદ્ધભૂમિ પર પહોંચ્યા. અજ્ઞાનવશ આ બન્ને ભાઈઓ યુદ્ધ કરવા જંગે ચડ્યા છે. આવો ખૂંખાર જંગ ખેલીને દુર્ગતિમાં જશે. આમ વિચારી, કરુણાવશ તેઓ આગળ આવ્યા.
પ્રથમ તેઓ નમિરાજા પાસે જઈને એકાંતમાં તેમને સમજાવવા લાગ્યા : આ ચંદ્રયશ તો તારો મોટો ભાઈ થાય. તેની સાથે યુદ્ધ કેમ કરાય ?
આશ્ચર્યવત્ તેણે રાજમાતા પુષ્પમાલા રાણીને પૂછ્યું : માતા ! કહો, હું કોનો દીકરો ? રાણીએ પુત્ર પર નેહભરી નજર નાખી કહ્યું : વાત સાચી છે. તમે આ સુવ્રતા સાધ્વીજીના સંતાન છો. વિશ્વાસ માટે, જે રત્ન કંબલમાં વીંટાયેલ બાળ મળ્યો હતો તે કંબલ અને મુદ્રા બતાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org