________________
આભના ટેકા: ૬૧ અવધિજ્ઞાનથી મદનરેખાને ઉપકારી જાણ્યા એટલે તેમણે મદનરેખાને વંદન પહેલા કર્યા છે.
મદનરેખાએ કહ્યું : દેવ ! મને મિથિલા નગરીમાં લઈ જાવ, ત્યાં પુત્રનું મુખ જોઈને હું સંયમનો સ્વીકર કરું.
દેવતા તેને મિથિલા નગરીમાં લઈ આવ્યા. પ્રવેશ કરતાં, સૌ પ્રથમ, જિનેશ્વર ભગવંતના દર્શન કર્યા અને નજીકના ઉપાશ્રયે સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. સાધ્વીજી મહારાજે યોગ્ય પાત્ર જાણી હિત-શિક્ષાના બે શબ્દ સંભળાવ્યા. સંસાર નિરર્થક છે. સંયમ સાર્થક છે. જીવનની સાર્થકતા નિષ્પાપ સઆચરણમાં છે. શુભકાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. આવા સરળ બોધ મદનરેખાએ હૃદય-પટમાં ઝીલી લીધા.
ઘર્મને હૃદય જોડે સંબંધ છે, બુદ્ધિ સાથે નહીં. ધર્મથી હૃદય પ્રફુલ્લિત થાય છે. પ્રફુલ્લિત હૃદયે કરેલો ધર્મ ફળ્યા વિના રહેતો નથી.
હિત-શિક્ષા પૂરી થઈ એટલે દેવતાએ યાદ કરાવ્યું: ચાલો રાજમહેલમાં જઈએ. દીકરાનું મુખ દેખાડું. મદનરેખાના વિચારમાં હવે પરિવર્તન આવ્યું હતું. કહે : હવે સંસારના પરિભ્રમણના કારણભૂત પુત્રના મુખને શું જોવું? મારે તો સાધ્વીજીના ચરણનું જ શરણ હો !
આવા ઉદ્ગાર સાંભળી દેવ સ્વર્ગમાં ગયા. મદનરેખાએ પ્રભુના શરણમાં જીવન સમર્પણ કર્યું. દીક્ષા લીધી. ગુરુ મહારાજે “સુવ્રતા એવું નામકરણ કર્યું. દીક્ષાના પહેલા દિવસથી જ સુવ્રતા સાધ્વી તપમાં લીન બની ગયા.
દેહની મમતા ઊતરે એટલે તપ સહજ બને છે. દેહની મમતા ગયા પછી સાધુતા દીપે છે -જેમ ધનની મમતા ઊતર્યા પછી શ્રાવકપણું શોભે છે તેમ !
સુવ્રતા સાધ્વીના તપની વાત રાજાના કાને આવી. આ સાંભળી રાજા પ્રભાવિત થયો.
રાજાના મહેલમાં ઊછરતા બાળકના સારા પ્રભાવથી આજુબાજુના પ્રદેશના રાજ્યો અનુકૂળ થવા લાગ્યા. રાજાઓ નમવા લાગ્યા. આથી બાળરાજાનું નમા “નમિ' રાખવામાં આવ્યું. વરસો વિતતા ગયા. યુવરાજ બનીને નમિ રાજ્યની ધુરા સંભાળવા યોગ્ય બન્યા એટલે પધરથ રાજાએ નમિકુમારનો રાજ્યભિષેક કરાવ્યો અને પોતે જ્ઞાનસાગરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org