________________
આભના ટેકા:૪૫ વેપાર-વણજની વાત હોય તો તે પેઢીએ કરાય, ઘેર નહીં. શેઠ તૈયાર થઈ પેઢીએ પહોંચ્યા. રાહ જોતા બેઠેલા ઠાકોર કહે : મારો દીકરો દેશાવર જવા મન કરે છે માટે મારી બધી રકમ જોઈએ છે. હમણાં ને હમણાં ગણી આપો.
કોઈ પણ વેપારી પાસે એટલી મોટી રોકડ રકમ તો હાથ ઉપર ક્યાંથી હોય ! એક તો કરિયાણાં ભરેલાં સો-સવાસો વહાણોનો પત્તો ન હતો. તેમાં આ એક લાખ રૂપિયા ગણી આપવાની વાત ! વળી ઠાકોરના રૂઆબ ને તોર ભારે ! વાયદો કરાય એવું ન હતું પણ, થોડો વિલંબ કરાય એવું લાગ્યું. શેઠે કહ્યું : આટલી મોટી રકમનો વેંત એક સાથે કેમ થાય? ઓછામાં ઓછો ત્રણ દિવસનો સમય તો જોઈશે.
મુનિમને આજુબાજુના ગામોમાં ઉઘરાણીએ મોકલ્યા. બે દિવસે એ, જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. જ્યારે નબળી ભવિતવ્યતા હોય ત્યારે ચારેકોરથી આવું જ બને. ત્રીજો દિવસ ઊગ્યો, વિમાસણનો પાર નથી. ઉપાય કે ઉકેલ જડતો નથી, ત્યારે સર્વશક્તિમાન પ્રભુજીનું સ્મરણ શ્વાસે શ્વાસે થવા લાગ્યું. અંતે તો શરણ તેમનું જ છે.
બપોર વીતી, ઠાકોર ઉતાવળા થયા છે. તકાદો કરે છે. એવામાં સવચંદ શેઠના મનમાં એક વિચાર ઝબક્યો. અમદાવાદ-રાજનગર છે. ત્યાંના શેઠ સોદાગર દરિયાવદિલ છે. ધર્માત્મા છે. મારું વેણ પાછું નહીં ઠેલાય એવા ભરોસે, સોમચંદ શેઠનું નામ મુખે આવ્યું. એમના નામે હૂંડી લખી. પણ, લખતાં જાય ને કલમ થરથરતી જાય ! અક્ષરો વાંકાચૂંકા પડવા લાગ્યા. મનમાં મૂંઝવણ છે. આપણે કશી ઓળખાણ નથી. વણી એને ચોપડે આપણું - નામ-ઠામ ન હોય ને આવડી મોટી રકમ કેમ કરીને આપશે?
પણ, પ્રેમળદાસનું પદ છે ને -- હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે...! એ શ્રદ્ધાથી ભગવાનને ભરોસે હૂંડી લખી. કલમની શાહીથી ચળકતાં અક્ષરો પર રેતી ભભરાવવી શરૂ કરી પણ હૃદયમાં વલોણું ચાલતું હતું તે હાથ ન રહ્યું. હૃદયની વેદના કે શોક કે હર્ષ પ્રગટ કરવા માટે શબ્દો જ્યારે લાચારી જાહેર કરી દે ત્યારે આંસુ વડે એ શોક-વેદના-હર્ષ ધસી આવે છે. અહીં પણ એમજ બન્યું. ખ્યાલ પણ ન રહ્યો અને લખેલા એ કાગળ પર બે અશ્રુ બિંદુ દડી પડ્યા. થોડાં અક્ષરો રેલાઈ ગયા. ઝાંખા થઈ ગયા. કાગળ(હૂંડી) બીડાઈ ગયો. અમદાવાદ – ઝવેરીવાડ - સોમચંદ શેઠની પેઢીનું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org