________________
આભના ટેકા : ૪૩ અને એ સમયે પણ આવ્યો. વિચરતાં વિચરતાં એ સાધુ પોતાના ગામના વિહાર-સ્થાનમાં ગયા. યોગાનુયોગ એમના પિતા હસ્તકની ઓરડીમાં જ રહેવાનું થયું. પિતાએ એ ઓરડી ખોલી આપી અને આ સાધુ એ સ્થાનમાં બરાબર એક મહિનો રહ્યા. ભિક્ષા લેવા માટે પોતાના ઘરે રોજ જવાનું બનતું, માતાના હાથે રોજ ભિક્ષા સ્વીકારતા ! એક મહિનાની મર્યાદા પૂરી થતાં ફરી ગ્રામાનુગ્રામ વિચરતાં આગળ વધ્યા. રસ્તે પેલા અધ્યાપક ફરી મળ્યા. અધ્યાપકે પૂછ્યું : જઈ આવ્યા? ત્યાં રહ્યા હતા? તમારી માતાના ઘરે જતા હતા? બધા પ્રશ્નોના જવાબ હકારમાં મળ્યા.
અધ્યાપક પાછા પોતાને ગામ આવ્યા ત્યારે એ યુવાન સાધુના માતાને મળ્યા. માતાએ અધીરાઈથી પૂછ્યું : મારો દીકરો મળ્યો હતો? એને કહેજો ને, આ તરફ આવે. એને જોયા બહુ વર્ષો થયાં.
અધ્યાપકને આ સાંભળી હસવું આવ્યું. હસતાં જોઈ માતા ઝંખવાયા. અધ્યાપક કહે : માઈ ! તમારો દીકરો તો અહીં આવીને રહી ગયો. તમારી ઓરડીમાં જ રહ્યો હતો. રોજ-રોજ તમારા ઘરે ભિક્ષા માટે પણ આવતો હતો. તમે એને ન ઓળખ્યો?
માજી તો આ બધા શબ્દો સાંભળતી અવાક થઈ ગયાં! પગ તળેથી ધરતી સરકતી લાગી ! કહે : “શું બોલો છો? તે અહીં એક મહિનો રહી ગયો? મારે ત્યાં રોજ આવતો હતો એ શું એ જ હતો? અહો ! મને તો અણસાર સુદ્ધાં ન આવ્યો ! એ તો બધી રીતે બદલાઈ ગયો.”
માજી ત્યાં ઊભા રહીને દીકરો જે દિશામાં હોઈ શકે તે દિશામાં બે હાથ જોડી, માથું નમાવી ભાવથી પ્રણામી રહી. - ગદ્ગદ્ સ્વરે બોલી : ધન્ય છે તેના વૈરાગ્યને ! જતનથી ઉછેરી મોટો કર્યો, એનાથી ચિરપરિચિત હતાં છતાં એણે અમને જરા જેટલો અણસાર પણ આવવા ન દીધો ! આવો તીવ્ર વૈરાગ્ય, આવો સહજ વૈરાગ્ય જેમના પ્રભાવે મળ્યો તેને પણ મારા ક્રોડો પ્રણામ ! ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org