________________
આભના ટેકા: ૪૧ કુંભાર વહેલી સવારે ઘરે આવ્યો ત્યારે એના સાગરીતોએ પણ સાથે આવ્યાની છડી પોકારી અને શ્રી સકલચન્દ્રજી મહારાજે “નમો અરિહંતાણં ” કહીને કાઉસ્સગ્ગ પાર્યો, પૂર્ણ કર્યો.
વૈશાખનંદનના પ્રતાપે આપણા સકલ શ્રી સંઘને “સત્તરભેદી પૂજા’ મળી, કહો કે પૂજા સાહિત્યની ગંગોત્રી પ્રગટ થઈ ! “સકલ મુનીસર કાઉસગ્ગધ્યાને એ અધિકાર બનાયો' આ પૂજાના શબ્દો એવા ભાવથી ભીંજાયેલા હતા કે પ્રતિગ્રામ, પ્રતિદ્રગ દરેક ગામે અને દરેક નગરે પર્વાધિરાજની આરાધનાના ભાગરૂપે આ સત્તરભેદી પૂજા ભણાવાય જ. અરે ! પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પછીના દિવસે આ પૂજા આજે પણ ભણાવાય છે.
આ રીતે એક સંકલ્પમાં દૃઢ રહીને એ મુનિવરે જે કર્મનિર્જરા સાધી તેનો મહાલાભ થયો જ ગણાય. સાથે શ્રી સંઘને પણ કેવો મોટો આદર્શ મળ્યો !
સંકલ્પથી ચલિત ન થવા માટે ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજનો આ પ્રસંગ પ્રેરણાનું પરમ પાથેય પૂરું પાડે છે. આપણા જેવાને ધર્મ-પ્રતિજ્ઞામાં વધુને વધુ દૃઢ રહેવા માટે આલંબનરૂપ બને છે. ]
ઇણિ પરિ સત્તરભેદ પૂજા વિધિ, શ્રાવકકું જિને ભણીઓ; સકલ મુનિસર કાઉસગ્નધ્યાને, ચિતવિત સો ફલ ચૂણીઓ રે.
પ્રભુ તું સુરપતિ જિમ ગુણીઓ. ભાવપૂર્વક અને અહોભાવથી ભણાવાતી આ સત્તરભેદી પૂજાની આ અંતીમ પંક્તિ સુધી પહોંચતા શ્રોતા ધ્યાનમગ્ન બની જાય છે. રચનાકારે પણ રાગ-રાગિણીની અપાર વિવિધતા થકી આ રચના અમર કરી છે. રાગની વિપુલ યાદી પૂજાની મહત્તા દર્શાવે છે: -- રામગિરિ - તોડી - ભીમપલાસ - આશાવરી - શબાબ - દેશાખ - સિંધુડો - માલવી તોડી - કાનડા - નટ- કેદારો-બિહાગ મલ્હાર - વસંત - કલ્યાણ - શ્રી - શુદ્ધ નટ- સામેરી - ધન્યાશ્રી - ગુર્જરી - સોરઠ ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org