________________
૪૦: આભના ટેકા
સકલ મુનીસર કાઉસગ્ગ ધ્યાને
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના સુપ્રસિદ્ધ ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજના જીવનનો પ્રસંગ છે. ગુજરાતના કપડવંજ ગામમાં બનેલી આ ઘટના છે. નિત્યક્રમ પ્રમાણે, રોજની સાધનાના ભાગરૂપે, રાત્રીપ્રતિક્રમણ પછી નિયમ મુજબ કાઉસગ્ગધ્યાનમાં મહારાજશ્રી બેઠા છે. આવી ઉચ્ચ સાધનાને આવા મુનિવરો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સુગઠિત કરતા હોય છે. એ મુજબ એમણે એક અજબ સંકલ્પ કરેલો. ઉપાશ્રયની નજીકમાં એક કુંભારનું ઘર હતું. રોજ સાંજ પડે પછી...વગડામાંથી માટી લેવા ગયેલા એના ગર્દભરાજો પાછા ફરે. જેવા ઘરે આવે એટલે પોતાની હાજરી પુરાવવા અવાજ કરે, એટલે કે ભૂકે સકલચન્દ્રજી મહારાજે સંકલ્પમાં નિર્ણત કર્યું કે –“આ કુંભારના વૈશાખનંદનો આવીને અવાજ કરે ત્યાં સુધી કાઉસગ્નમાં રહીશ.”
સંકલ્પ કેવો સાદો? પણ નિર્ણય વજ જેવો!
કાયાની ભૂમિકા પરથી મનનો આત્માની ભૂમિકા પર પ્રવેશ થયો. બહારનું બધું છૂટતું ગયું. આત્મ-રમણતાનો અનહદ આનંદ ઉભરાવા લાગ્યો. ધ્યાન સહજ થયું.
એકાદ પ્રહર જાગૃત મને નોંધ લીધી. કુંભારને ઘેરથી હજુ જાણીતો અવાજ નથી આવ્યો. રોજ તો નિયમિત સમયે સોમો કુંભાર ઘરે આવી જાય છે.
જોગાનુજોગ બન્યું એવું કે તે દિવસે મોડું થઈ જવાથી કુંભાર એના વૈશાખનંદનો સાથે બહેનના ઘરે રોકાઈ ગયા ! હવે સંકલ્પનું સોનું કસોટીએ ચડ્યું. દૃઢતા એ શું ચીજ છે એ સમક્ષ થયું. અવિચળ સંકલ્પનું સ્વરૂપ મનની પેલે પાર પહોંચીને નિખરે છે. સમય તો વીતતો રહ્યો.
ધ્યાનાન્સરિકાનું પરિણામ એ આવ્યું કે શુભભાવની ભરતી આવી, તેમાં પ્રભુ સાંભર્યા. તેમની ભાવપૂજાના વિચારો આવ્યા. આ વિચારો શબ્દમાં અને સંગીતના લયમાં ઢળાવા લાગ્યા! એક પછી એક કંડિકાઓ રચાતી ગઈ. એક પૂજા, બીજી પૂજા એમ પૂજાઓ રચાતી ગઈ. પરોઢ થતાં તો સત્તરમી પૂજા રચાઈ ગઈ!.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org