SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા: ૩૯ નેત્રે ઊભા છે. “ધર્મલાભ' ના વેણ જીભથી બહાર આવે છે, પણ ત્યાં જ વેરાઈ જાય છે. રણમાં પડેલા વરસાદનો રેલો ક્યાંય ન દેખાય ! શાલિભદ્ર પાછા વળે છે. મનમાં સહેજ વિકલ્પ આવ્યો. ત્યાં, રસ્તામાં ઘરડા ગોવાલણીએ લાભ દેવાની વિનંતિ કરી ! તેને હૈયે હેત ઉભરાયાં ! છાતી ભીંજાઈ ! વહાલપ ફોરવા લાગ્યું. ભાવ જોઈ મુનિવરે લાભ આપ્યો. દહીં વ્હોર્યું. હૃદયના છલકતા ભાવ એ ભાવ-મંગળમાં દહીંનું દ્રવ્ય-મંગળ ભળ્યું. પ્રભુ પાસે પાછા આવ્યા. મનમાં પ્રશ્ન હતો છતાં પૂછવું ન પડ્યું! પ્રભુ વદ્યા : તમને જેણે દહીં વ્હોરાવ્યું તે તમારા માતા હતા. તમારો નવો જન્મ છે. તેઓનો એ જ ભવ છે. શબ્દોએ હૃદયમાં જઈને આવરણ દૂર કર્યા. એ ભવ આંખ સામે આવ્યો. મા જોયાં! ખીર જોઈ ! મુનિમહારાજ જોયા ! દેહનો મોહ તો ગયો હતો જ. હવે સંસારવાસનો મોહ ગયો! મૂળ સ્વરૂપને પામવાની તાલાવેલી થઈ આવી. અણસણની અનુજ્ઞા માંગી. પ્રભુએ આપી. ધન્નાજી સાથે વૈભારગિરિ ઉપર શિલાપટમાં અણસણ સ્વીકારીને સિદ્ધોને શરણે મન મૂકી દીધું. ધ્યાનનું અનુસંધાન ત્યાં જ સધાઈ ગયું. દેહભાર ગયો ! દેહભાન ગયું! ભદ્રમાતા પરિવાર સાથે આડંબરપૂર્વક વાંદવા આવ્યા. સૌની આંખ શાલિભદ્રને શોધવા લાગી. જાણવા મળ્યું કે અણસણ સ્વીકાર્યું છે અને વૈભારગિરિ પર તપ કરી રહ્યા છે. કાફલો ત્યાં પહોંચ્યો ! પરંતુ શાલિભદ્રમુનિ તો “મેરુ ચળે તો તેનાં મનડાં ન ચળે તેવી સમાધિમાં લીન હતા. ભાવપૂર્વક અર્ધવનત બની, લળી લળી, વારંવાર પ્રણામ કર્યા. એમની નિરીહતાને સજળ નેત્રે બધા વંદી રહ્યા. રાજા શ્રેણિક પણ આ બધું, શ્રદ્ધાનમ્ર હૃદયે જોઈને પ્રભાવિત થયા. ઋદ્ધિ તો શાલિભદ્રની. ત્યાગ શાલિભદ્રના ત્યાગ જેવો ! વૈરાગ્ય પણ શાલિભદ્રનો ! તપ પણ શાલિભદ્રનું આપણાં હૃદયને ભીંજવી જતી શાલિભદ્રની કથા આપણાં અંતરના ઓરડાને અજવાળી રહો ! અજવાળી રહો! 2 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy