________________
૩૮ આભના ટેકા
ધન્ના કહે : આ તો હાથીના દાંત. નીકળ્યા તે નીકળ્યા. ધન્યકુમાર માથાના લાંબા લાંબા કાળા વાળ વાળીને શાલિભદ્રને બારણે પહોંચ્યા. કમાડની સાંકળ ખખડાવી.
ભાઈ ! ગૂમડાનો બીયો કાઢવો છે તો વિલંબ શાને ? વાયદા શાને? ચાલ ! જઈને વીરના ચરણમાં ઠરીને બેસીએ. શાલિભદ્ર તો ઇચ્છતા હતા જે. એકથી ભલા બે ! આવા કપરા ચડાણમાં સથવારો ક્યાં મળે ? ભેરુની સાથે જ - ભગવાન પાસે પહોંચ્યા. પ્રભુએ સ્વીકાર્યા, બાંહ્ય ધરીને ઉધ્ધાર્યા. - હવે તો જંગ જીતવા નીકળી પડ્યા છે. નવાં નવાં તપ આદરે છે. છોડ્યું એનું તો સ્મરણ પણ નથી. ઊંચી-ઊંચી ભાવધારામાં નિરંતર વધે જાય છે, તેમાં જ મહાલે છે. એકાવલિ તપ આદરે છે - એક ઉપવાસ પછી એક પારણું એમ ચડતા ક્રમે સોળ સુધી પહોંચવાનું અને એ જ ક્રમે ઊતરવાનું - સોળપંદર-ચૌદ-તેર-બાર એમ છેલ્લે એક ઉપવાસ આવે. આ રીતે દેહની દરકાર કર્યા વિના તપોમય બન્યા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ - એ જ જીવન બની ગયું છે. જે દેહને અહીંનું પાણી પણ અડતું ન હતું એ દેહે આહાર-પાણી બને ત્યજ્યાં છે. પ્રભુનું વાત્સલ્ય સતત વરસતું રહે છે. બધાં જુનાં કર્મો ખરી રહ્યાં છે, એની દોસ્તી હવે નહીં નભે. કર્મપડળ ખરવાથી અંદરની ઉજ્જવળતા વધતી રહે છે. અંદરના ઉઘાડથી અજવાળું-અજવાળું વરતાય છે. દેહ તો શરમાઈ ગયો, વિલખો પડી ગયો. વિલાયેલું મોં તો કાળું જ હોય ને!
આજે તપનું પારણું હતું. રાજગૃહીમાં આવવાનું થયું છે. મધ્યાહ્ન વેળાએ ગૌચરી જતી વખતે પ્રભુ પાસે અનુમતિ લેવા ગયા.
પ્રભુએ કહ્યું : આજે તમે તમારા માતાને હાથે વ્હોરશો.
‘તહત્તિ.” કહી, શાલિભદ્ર માતાની શેરી તરફ સંચર્યા. ભદ્રાની હવેલીમાં તો હલચલ મચી છે. ઉપર-તળે દોડધામ છે. આજે શાલિભદ્રમુનિ પધાર્યા છે. તેમને વાંચવા માટે જવાનું છે. બધાને હૈયામાં ઉમંગ માતો નથી. સંભ્રમ શું કહેવાય તે જણાય છે. ઉમળકાને ઉતાવળ જોડે સંબંધ છે. દેહ કરતાં મન તો ગતિમાં આગળ જ હોય ને!
શાલિભદ્રમુનિસાક્ષાત્ આંગણે આવીને ઊભા છે. પણ કોણ કોને બોલાવે? કોણ જુએ? જીભ બીજે રોકાઈ છે. આંખ બીજું જ શોધે છે. શાલિભદ્ર નત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org