________________
આભના ટેકા : ૩૭ છુટાય પણ આ તો સ્નેહ-રાગના સૂતરના તાંતણાનાં બંધન ! હળવે હળવે, જાળવીને અળગા કરવા પડે. રોજ એક બંધન અળગું કરવું એમ વિચાર્યું અને શરૂ કર્યું ! ભદ્રાને આંચકો લાગ્યો. મનમાં અંદેશો હતો જ કે આવો દિવસ એક વાર ઊગવાનો છે જ. ચકમકના પાષાણને પાણીમાં રાખો એટલે એવું ન માનવું કે તે પાણીને સ્વીકારી લેશે. તેની અંદરનો અગ્નિ તો અકબંધ જ રહે છે. ગત ભવમાં છેલ્લી પળોએ “નમો અરિહંતાણં” સંભળાવનાર પેલા મુનિવરની છબી ઊંડે ઊંડે અંકિત થઈ હતી એનું કામ શરૂ થયું હતું.
કેવા યોગાનુયોગ રચાય છે! એક બહેન સુભદ્રા. તેના સ્વામી ધન્યકુમાર. પદ્મરાગમણિની ખાણમાં મણિ જ પાકે. કાચ તો ગોત્યા ન જડે. ધન્યના જાણવામાં આવ્યું ન હતું. સ્થળ સમાચારોની આપ-લે રોજિંદી ન હતી એ વખતની આ વાત છે. “ભાઈ એક એક પત્નીને પરિહરે છે. દેવતાઈ ઋદ્ધિમાં અનાસક્તિ હતી, હવે તે ત્યાગના રૂપમાં પરિપકવ બની છે.” -- આવું જાણીને, સંસારના સહજ રાગથી ચૂંટાયેલી વેદના, સુભદ્રાની આંખમાંથી આંસુ રૂપે ધસી આવી. સ્નાનવેળાએ જ ધન્યકુમારના ખભે ઊનાં આંસુ પડ્યાં! અત્યંત સંવેદનશીલ ધન્નાની આંખ ઉપર જોવા લાગી. સુભદ્રાની ગોળ ગોળ કાળી આંખમાં આંસુ તગતગે છે. અચરજ થયું. શું ઉણપ આવી હશે? સુભદ્રાની આંખ ભીની પણ ન થવી જોઈએ; આ તો ચૂવે છે!
છે? શું છે?” – સ્વરમાં વિહ્વળતાનો કંપ આવ્યો.. ભાઈ રોજ-રોજ એક ત્યજે છે... ગદ્ગદ્ સ્વરે કહેવાયું. | વાક્ય જુદા સ્વરૂપે પાછું ફર્યું : આ તો કાયરનાં કામ ! આ શું? છોડવું તો છોડી જાણવું. ધીમે ધીમે બળતા ઈધણામાંથી રસોઈ ન થાય, અરે ! તાપણું પણ ન થાય! બોલવું સહેલું છે. કરવું અઘરું છે.
એમ છે? તો આજથી આઠેય પત્નીનો ત્યાગ ! સ્વરમાં એ જ સ્વસ્થતા. 'નથી આવેશ કે આવેગનો કંપ ! કંપવાનો વારો હવે સુભદ્રાનો હતો.
અરે, અરે ! ભાઈ તો જાય છે. આ તો પતિ પણ જશે ! ના, ના, દેવ! હું તો ઉપહાસ કરતી હતી, નાથ ! એવું ના બોલો!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org