________________
આભના ટેકા: ૨૫
દેવે બનાવેલું દેરાસર : શ્રી શાન્તિનાથ
ભગવાનનું દેરું
વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલા આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યું આ હિંસા કરીને તમને શું મળે છે ? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો ! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું! દ્વેષભાવની પ્રબળતાને કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો.
હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મ-જન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેત, મનમાં રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો ! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો ! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહ-મુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યું : આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં ઊહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો બ્રાહ્મણનો ભવ દેખાયો. મુનિવરની
|
હ
|
I/A
AT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org