________________
૨૦: આભના ટેકા
प्रवज्यायाः प्रथम दिवसे...
મેઘને વંદના હો!
વાત અત્યંત જાણીતી છે.
કોઈને કહેવાની શરુઆત કરીએ અને જેનું નામ બોલીએ - ‘મેઘકુમાર...' તરત સાંભળનાર બોલી ઉઠશે કે, ખબર છે !
આવું “ખબર છે' એમ બોલનારની જીભને મ્યાન કરે તેવી વાત છે; ખૂબ રસાળ વાત છે. આપણે એ પ્રસંગમાંથી નિપજી આવતા બોધક સ્ફલિંગોને જોવા છે.
સ્થળ છે મગધ દેશ. એ દેશની રાજગૃહી નગરી. શ્રેણિક રાજા. ધારિણી દેવી. સુપુત્ર મેઘ. ગર્ભના પ્રતાપે માતા ધારિણી દેવીને જે સ્વપ્ન આવ્યું હતું તે મુજબ મેઘ નામ પાડવામાં આવ્યું હતું.
સામે ચાલીને કરેલા નાના સુકૃતની તાકાત કેટલી? ક્યાં એ તિર્યંચનો ભવ અને ક્યાં આ, પ્રભુ મહાવીરનો સહજ સંપર્ક જ્યાં સુલભ છે તેવો રાજપુત્ર મેઘકુમારનો ભવ! ખરે ! સુકૃત તો ઊર્ધ્વગામી મંત્ર છે.
યુવાન રાજપુત્ર મેઘને આઠ પત્નીઓ હતી. સુખ-સમૃદ્ધિ ભર્યા રાજમહેલમાં જીવન સરિતા સરળ વહેતી હતી. પરિસરમાં વિશાળ બગીચાઓ હતા. એના સુશોભિત લતા મંડપોમાં નાચગાન અને વાજિંત્રનાદ તો સતત ચાલતા રહેતા. મનને તરબતર રાખે તેવા સાધનોની ભરમાર હતી. આવા માહોલમાં બીજું કશું શું યાદ આવે !
પણ કહેવતમાં કહેનારાએ કહ્યું જ છે ને કે : ભાગ્ય છૂપે નહીં ભભૂત લગાયે! એ મુજબ, જે નસીબ હતું તેના કારણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના દર્શન-વંદનનો યોગ મળ્યો. વીરની વાણી શ્રવણનો સંયોગ થયો. રોજ-રોજ એ વાણીનું સેવન કરવું ખૂબ ગમ્યું. એ વાણીની વિશેષતાઓને એમના વિશાળ મુનિવૃન્દોમાં ઘણા-ઘણાં મુનિવરો સાથે મળીને મેઘકુમાર વાગોળતા હતા. પ્રભુએ વર્ણવેલી સંસારની નિર્ગુણતાનું, નિઃસારતાનું વર્ણન મનમાં પડઘાતું હતું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org