________________
આભના ટેકા ઃ ૧૯
આટલું સાભળતાં વેંત, એક જ દિવસમાં આમ ત્રીજીવાર આ સ્વરૂપે માનભંગ થવાથી, તપસ્વી મુનિના મન પર ક્રોધ સવાર થઈ ગયો. બાળમુનિ પર દ્વેષ ભભૂકી ઊઠ્યો. તેઓ બાળમુનિને મારવા દોડ્યા. અહિતની પ્રેરણા ઝિલાઈ. તપ હિત છે. ક્રોધ અહિત છે. ક્રોધનો વિજય થયો. પેલા તો બાળસાધુ. ચંચળ અને ચપળ નાનું શરીર. ઝડપથી દોડી ગયા., પાછળ આ વયોવૃદ્ધ મુનિ દોડ્યા. પકડદાવ રમતા હોય તેમ બાળમુનિને પકડવા જતાં વચમાં થાંભલા જોડે જોરથી માથું ભટકાયું. મર્મ સ્થાને વાગ્યું. ક્રોધને કારણે તેમનું અંગ અંગ કાંપતું હતું. ક્રોધ તીવ્રતાને કારણે ઊંડો ઊતરી ગયો હતો.
કોઈ પણ વૃત્તિ પહેલાં સંસ્કાર બને છે, પછી સ્વભાવ બને છે અને સ્વભાવ ગાઢ બનતાં તે સંજ્ઞા બને છે.
તપસ્વી મુનિનો ક્રોધ હવે સંજ્ઞા બની એમના તન-મન-શ્વાસ-પ્રાણ સાથે વણાઈ ગયો. પકડદાવમાં બાળમુનિ તો છટકી ગયા પણ તપસ્વી મુનિના પ્રાણ તીવ્ર ક્રોધની સાથે પરલોકે પ્રયાણ કરી ગયા.
આ થયો ચંડકૌશિક સર્પના પૂર્વભવના પૂર્વભવનો પણ પૂર્વભવ. ચંડકૌશિકના ભવમાં જે ક્રોધ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિએ કબીરવડની જેમ વિસ્તાર સાધનારો બન્યો એ ક્રોધનું વાવેતર એના તપસ્વી મુનિના આ ભવમાં થયેલું હતું. I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org