________________
૧૮ : આભના ટેકા
સમય તો થયો હતો, પણ ગામડાં ગામના ગારાવાળા રસ્તા કેવા હોય ? એક નાની દેડકી કૂદતી કૂદતી રસ્તાની એક બાજુથી બીજી બાજુએ જતી હતી. વયોવૃદ્ધ તપસ્વી મુનિના કોમળ ચરણ નીચે તે આવી ગઈ. તપસ્વીના ચરણ કરતાં પણ એ દેડકીની કાયા વધુ કોમળ હતી. તે ચગદાઈ. કમજોર આંખને કારણે પહેલાં તો તે નજરે ન ચડી. સાથેના બાળમુનિએ તરત ધ્યાન દોર્યું કે દેડકી ચગદાઈ ગઈ. તપસ્વી મુનિએ જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ કહ્યું : ક્યાં છે ! કાંઈ નથી !
મન અવળા વિચારે ચડ્યું હતું. આવા નાના સાધુ મને કહી જાય ?'માન ખંડિત થયું. મનમાં ભલે સકળ જીવ પ્રત્યે દયાનો ભાવ સતત રમતો હતો. જુદાં જુદાં ઘરમાંથી ગૌચરી વહોરીને ઉપાશ્રયે આવ્યા. સાધુની સામાચારી મુજબ, ગુરુ મહારાજ પાસે ગૌચરીની આલોચના કરવા લાગ્યા. જે જે ઘરમાંથી ગૌચરી વહોરી હોય, જે જે શેરીમાં ગયા હોય તે બધું ક્રમથી બોલવા લાગ્યા. સાથી બાળમુનિ પણ આ બધું ધ્યાનથી સાંભળતા હતા. સાંભળવાનું તો ગુરુને જ હતું. છતાં બાલ્યાવસ્થા સહજ જે કુતૂહલ છે તે ધ્યાનથી સાંભળે છે. તેમાં પેલી દેડકી ચગદાઈ ગઈ હતી તે વાત ન આવી ! બાળમુનિએ તરત યાદ કરાવ્યું કે પેલી દેડકીની વાત રહી ગઈ. આ સાંભળતાં જ વૃદ્ઘ તપસ્વીના મનનો માન કષાય ખળભળી ઊઠ્યો. ક્રોધ મદદે આવ્યો. વિવેક પલાયન થઈ ગયો. ધુત્કારીને બાળમુનિને કહ્યું : એવું ક્યાં થયું છે ? પછી ગૌચરી વાપરવા બેઠાં. ગૌચરી વાપર્યા પછી બપોરે સ્વાધ્યાય પણ કર્યો.
સાંજે દેવસી પ્રતિક્રમણની વેળા થઈ. ગુરુ સમક્ષ ‘ફૈાજારેળ સંસિહ ભાવન્ ! તેવસીય આલોક ?' એ આદેશ માંગીને દિવસભરમાં થયેલા અને સેવાયેલા અતિચારો પ્રગટ કરી રહ્યા હતા. ઉપાશ્રયમાં આછું અંધારું ફેલાવા લાગ્યું હતું. ઉપાશ્રયના જુના મકાનમાં ઘણા બધા થાંભલા હતા.
તપસ્વી મહારાજ દિવસના અતિચારો બોલતા હતા ત્યારે બાળમુનિ નજીક રહીને સાંભળતા હતા. દેવસિય અતિચારો બોલાઈ રહ્યા અને તેમાં પેલી દેડકીવાળી વાત ન આવી. તરત બાળમુનિ બોલ્યાઃ ‘પેલી દેડકી ચગદાઈ હતી તે તો ન બોલ્યાં ! ’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org