________________
આભના ટેકા: ૧૭
तपोधना हि साधवः। દિક્ષાના દિવસથી જ તપનો યજ્ઞ મંડાયો.
સંચિત કર્મને ખપાવવાનું અમોઘ સાધન તપ. આવતાં કમોને રોકવાનું સાધન તપ. માસક્ષમણને પારણે માસક્ષમણ(ત્રીસ ઉપાવસ) ! સંસારનો મોહ તો ઘટ્યો છે જ, સાથે શરીરનો મોહ પણ ઘટ્યો છે. શરીરનો મોહ જાય પછી જ અંદરનું સાધુપણું પ્રગટે છે. ગૃહસ્થને ધનનો મોહ અને સાધુને શરીરનો મોહ ઉતારવો મુશ્કેલ હોય છે. પરંતુ અહીંયા તો એ મોહ રમત રમતમાં ઉતર્યો છે ! શરીર ભલે સૂકાય, કાન-આંખ ભલે રીસાય; મનમાં તો પ્રસન્નતાનો મહાસાગર પારાવાર ઘૂઘવે છે. તપ ચાલુ છે. તપમાં જ આત્માનું હિત છે --એ જ લગનથી તપ ચાલે છે. વૈરાગ્ય તો મૂળથી હતો જ. ઉદયરત્ન મહારાજે ગાયું છે :
સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ
વૈરાગ્ય વાસિત અન્તઃકરણ અને તપથી પ્રભાવિત શરીર વડે સાધના બરાબર ચાલુ છે ત્યાં જ અહિતે આવીને હિતને ડહોળી નાખ્યું. અહિતનું આચરણ ભેંસ જેવું છે ! ભેંસ પાણીને ભાળે ત્યાં એનું મન ઉછળવા લાગે ! કહે છે ને : ભેંસ, ભામણ ને ભાજી, ત્રણે પાણીથી રાજી. ભેસ પાણી પીવા જાય તો કિનારે ઊભા રહીને તે પાણી નહીં પીએ. પહેલાં તો તે સીધી જ મોટાં ડગલા ભરતી પાણીની અંદર જશે, ધૂમ્બાક દઈને બધું પાણી ડહોળશે. તળિયે જામેલા કાદવને ઉપર લાવશે. પછી પાણી પીશે !
અહિતનું કામ પણ આવું જ છે. હિતની પ્રવૃત્તિ કરતાં સાવધ ન રહ્યા તો અહિતનો ઉછાળો આવી મનને ડહોળી નાખે. હિતના પરિણામને ઠેસ તો પહોંચાડે જ, વધારામાં પરિણિતીને પણ કાબરચીતરી કરી મૂકે છે.
વર્ધમાન ભાવે નિરંતર ચાલતા તપ-સંયમની સાધનામાં એક વાર વિઘ્ન આવ્યું. માસક્ષમણનું પારણું હતું. ચોમાસાના દિવસો હતા. શરીર દુર્બળ, આંખમાં ઝાંખપ, ચાલ ધીમી. ગૌચરી વહોરીને પાછા ફરી રહ્યા હતા. સાધુ-જીવનનો આચાર એવો હોય કે ગૌચરી વહોરવા બે સાધુઓએ સાથે જવાનું હોય. સંઘાટક(સાથી) તરીકે, બાળ સાધુ હતા. વરસાદને વિરમ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org