________________
૧૬ : આભના ટેકા
અહિતની નિવૃત્તિ આપણો મનોરથ હો
વાત બહુ જાણીતી છે. ‘ચંડકૌશિક’ શબ્દ સાંભળતાં વેંત -હા, અમને ખબર છે - એમ ઘણા બધા કહી ઊઠે ! બરાબર છે. એ જાણીતી વાત જ માંડવી છે અને એમાંથી નીપજતા બોધ સાથે કામ પાડવું છે. એમાંથી કશુંક નક્કર તારવવું છે, ગાંઠે બાંધવું છે. આપણી મૂળભૂત સમજણની મૂડીમાં ઉમેરો કરવો છે.
જન્મથી બ્રાહ્મણ. વૈરાગ્યના જુગ જૂના, ભવ જૂના સંસ્કારવાળો જીવ. પરોપકાર તો શ્વાસ અને પ્રાણમાં ભળી ગયેલો ગુણ. કોઈનું દુઃખ દીઠું નથી અને તે દૂર કરવા દોડ્યો નથી ! પરોપકારની આવી લાહ્યમાં તો એણે કુટુંબ ગુમાવ્યું. પત્ની બાળકોને થયું ‘ઘરના ઘંટી ચાટે છે ને ઉપાધ્યાયને આટો મળે છે' આમ તે કેમ ચાલે ? એટલે ઘરને સાંકળ ચડાવીને પત્નીએ બાળકોને લઈને પીયરની વાટ પકડી.
બ્રાહ્મણને થયું : ‘ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ’ કોઈ સાધુ મહારાજનો સમાગમ થયો. હૃદયમાં તો સાધુતા જન્મી ચૂકી હતી જ. તેને ટકાવવા બહારની સાધુતા સ્વીકારી લીધી. સાધુનું ભૂષણ તપ. અરે ! સાધુનું જીવન જ તપ. માટે તો કહેવત પડી છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org