________________
૧૪: આભના ટેકા
પાંડવોની જીવનકથાનું એક પાનું વેણ કાઢ્યું તે, ના લટવું. ના લટવું...
आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः ।
पाण्डवाः पञ्च सम्प्राप्ता, यत्र निर्वाणसम्पदम् ॥ વાત જૂની થયેલી લાગશે, પણ એ ઘટનાનાં પાત્રો તો નિત્ય નૂતન છે. પાંડવ શબ્દ ભારતમાં આબાલ-ગોપાલ સુપ્રસિદ્ધ છે -- એ પાંડવોની આ વાત છે. પાંચેય પાંડવોએ દીક્ષા લીધી એ પછીનો પ્રસંગ છે. એ કાળે તપનું મહત્ત્વ સામાન્યજનથી વિશિષ્ટજન સુધી સહજ જ હતું. તેમાંયે, દીક્ષા ગ્રહણ કરે, સાધુ બને એટલે તો તપોમય જીવન જીવે. તપોધન એ તો સાધુ-જીવનનો પર્યાય છે.
આ પાંડવ-મુનિઓએ માસક્ષમણ તપ એટલે કે એક મહિનાના ઉપવાસ આદર્યા. જેઠ સુદિ સાતમથી આ તપ આરંભ્ય. ગણત્રીએ, અષાઢ સુદ સાતમના દિવસે પારણું આવે, વ્રત સમાપ્તિ થાય. વિહાર કરતાં તેઓ આ દિવસ સુધીમાં જૂનાગઢ પહોંચ્યા.
બપોરની વેળા હતી. પારણાં માટે ગૌચરી માટે જવાની વાત આવી ત્યારે જાણ થઈ કે શ્રી નેમિનાથ પરમાત્મા ગિરનાર પર વિરાજમાન છે. બધાને એક સાથે શુભ વિચાર આવ્યોઃ “અહીંજ પ્રભુ વિરાજે છે તો આવતી કાલે પરમાત્માને વંદન કરીને પછી પારણું કરીશું.’ એટલે એ દિવસે પારણા કરી અન્ન વાપરવાનું માંડી વાળ્યું. બીજે દિવસે ગિરનાર પહાડ ચડવો શરૂ કરે છે ત્યાં જ સમાચાર મળ્યા કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા!
હવે તો પારણાનો પ્રશ્ન જ ન રહ્યો! સંકલ્પ એમ કર્યો હતો કે શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરીને પારણું કરીશું. તેઓ નિર્વાણ પામ્યા. હવે તો પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ.
સંકલ્પની નિશ્ચલતા એ સફળતાની પૂર્વ શરત છે.
એક વાર મનમાં જે શુભ વિચાર પ્રગટ થયો અને તે સંકલ્પ સ્વરૂપે નિશ્ચલ બન્યો ત્યારે તેને હવે કોઈ ચલિત ન કરી શકે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org