________________
આભના ટેકા: ૧૩
આદેશ્વર ભગવાનની જે બોલાઈ. આદેશ અપાયો. * લાભ લેનારના ઘેર ત્રણ બહેનોને વર્ષીતપના પારણા હતા. કુટુંબ મોટું હતું અને પરિવાર પણ બહોળો હતો. આદેશ મળતાવેત બધા નાચવા લાગ્યા. નાના બાળકથી લઈ મોટા બધા હર્ષવિભોર બની ગયા.
આદેશ લેનારને પેઢી તરફથી, પ્રભુજીના પ્રક્ષાલ માટે અગિયાર પાસ આપવામાં આવ્યા. અગિયાર જણા સર્વ પ્રથમ દાદાને અભિષેક કરી શકશે.
પાસ જેવા હાથમાં આવ્યા તેવા તરત જ એમાંથી ચાર પાસ, જે ભાઈ પાંચ લાખ પચાસ હજાર મણની બોલી બોલ્યા હતા તેમના હાથમાં આપ્યાં. પેલા ભાઈ તો આભા જ બની ગયા ! માન્યામાં ન આવે એવી વાત છે, બોલ્યા : ભાઈ આ શું કરો છે? આદેશ તમે લીધો છે, વિશાળ પરિવાર છે. આટલા બધા પાસ ન હોય, એક આપો, ઘણું કહેવાય.
જવાબ મળ્યો : ના રે ના, તમે તો મારા ઉપકારી છો. આટલો મોટો લાભ અમને તમારા કારણે મળ્યો.
ના ના પાડતા રહ્યા અને ચાર પાસ આપી દીધા. સ્વજનો પણ વિમાસતા રહ્યા.
આને ઉદારતા કહેવાય. ' પૈસાની ઉદારતા એ જ ઉદારતા નથી પણ મનની ઉદારતા તે ઉદારતા. કરેલો ધર્મ પરિણત થાય ત્યારે આવા ગુણોની ખીલવણી થાય છે.
આ દશ્ય જોનારા ભાવિકોના હૈયા આ બન્નેને વંદી રહ્યા.
દાદાના દરબારમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org