________________
૧૨ : આભના ટેકા
આનું નામ ઉદારતા...
વિક્રમ સંવત ૨૦૫૫, વૈશાખ સુદી ત્રીજનો શુભ દિવસ છે. શ્રી સિદ્ધગિરિની ટોચે, દાદાનો દરબાર છે.
આદિપ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી અભિષેક થવાનો છે. વર્ષમાં માત્ર એક વાર આ લહાવો લેવાય છે. વર્ષીતપના આરાધકોમાં આનો ખૂબ મહિમા છે. પહેલો અભિષેક કોણ કરે એની ઉત્કંઠા હોય છે. ભક્તોની ભારે ભીડ જામી છે. ચોતરફ વર્ષીતપના આરાધકો દેખાય છે. કોઈને ચાર ઉપવાસ થયા છે. કોઈને બે ઉપવાસ થયા છે. શ્રદ્ધાને સહારે આ બધા ભાવિકો, ગિરિરાજ ચડીને આવ્યા છે. સહુના મોં પર આ શ્રદ્ધાનું તેજ વિલસે છે.
શેરડીના રસના અભિષેક માટેની બોલી શરૂ થઈ. આજનો અનેરો માહોલ કાંઈ અજબ-ગજબનો છે. શરૂઆત જ ઊંચી થઈ. જોતજોતામાં તો લાખો મણ સુઘી પહોંચી. એક એક પાણ એક લાખની, એવું વાતાવરણ સર્જાયું...
...પૂજા કરનારની વાટકી હાથમાં અદ્ધર રહી ! ચૈત્યવંદન કરનારની જીભ અટકી ! બધી જ શક્તિ આંખ અને કાનમાં કેન્દ્રિત થઈ ! કાન સરવા થયા, આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્ય અને કૌતુકથી મિશ્ર ભાવોમાં બધા તરવા લાગ્યા !
બોલી આગળ આગળ વધતાં, બે મહાનુભાવો વચ્ચે દોર ચાલતો રહ્યો. ચાર લાખ મણ... ચાડા ચાર... પાંચ લાખ મણ...
આ જ રીતે હરણફાળે કૂદકા ભરવા લાગ્યા. (પાંચ રૂપિયે એક મણ પ્રમાણેનો શિરસ્તો શેઠ આ. ક. પેઢીમાં છે) પાંચલાખ પચાસ હજાર મણ ઘી બોલાયું. સાંભળનારા લોકો આટલી મોટી બોલીના રૂપિયા કેટલા થયા તે ગણવા લાગ્યા ! જે ખરચે છે તે ગણતા નથી અને જે ગણે છે તે નથી ખરચી શકતા !
છેવટે છ લાખ મણ ઘી બોલાયું ! પેઢીના ચોપડા લખાય છે ત્યારથી કોઈ હોલ્ડરથી આ આંકડો ચોપડે લખાયો નથી. પહેલી જ વાર આ આંકડો ચોપડાને શોભાવાનો હતો. બોલી અટકી. એક વાર... બે વાર... ત્રણ વાર...કહીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org