________________
૧૪૦ આભના ટેકા માંડ હૈયે હામ ધરી શુક્લજીએ કહ્યું, “હજાર હાથવાળો કાલે તો સામું જોશે. સિહોરમાં તો ઘણાં ઉદાર ગૃહસ્થો વસે છે. જરૂર આપણો ખાડો પુરાશે.” સાથેના ભૂદેવોએ પણ શ્રીમંતોના ઘરની શેરીની દિશા દેખાડી.
રાત તો જેમ-તેમ પસાર કરી. ભૂખ જેવું બીજું એકે ય દુઃખ નથી. કહેવાય છે ને કે ભૂખ્યો માણસ કયું પાપ ન કરે ? સવારે નીકળ્યા. ચાલ લથડતી હતી. ગળામાંથી સ્વર માંડ નીકળતા. જીવનભર જેણે આપ્યું જ છે, એ દાતાને આજે ઘેર ઘેર ફરી હાથ લાંબો કરતાં શું શું થતું હશે ! કોણ જાણી શકે?
-- જાણે કો સર્વવેદી અથવા સમદુઃખીયો જણ.
પાંચ ડગલાં ચાલે ને આંખે અંધારાં આવે ! લથડતાં પગે ચાલતાં પથ્થર સાથે ઠેસ વાગી અને પગના અંગૂઠાનો નખ ઊખડી જાય છે. તો પણ, ક્યાંક આશા બંધાય એવા ઘર પાસે ઊભા રહીને લક્ષ્મી પ્રસન્ન”, “કલ્યાણ હજો - એવા ભાવનાં વાક્યો બોલે અને પળવાર રાહ જુએ; કોઈ આવે છે? આમ ઘર પછી ઘર અને શેરી પછી શેરી બદલાતાં જાય છે ! કહે છે ને કે, “પડે છે ત્યારે ? બધું પડે છે.” એમ બનવાનું હશે એટલે કોઈએ કશું આપ્યું જ નહીં. આશ્વાસનના મીઠા બે શબ્દ પણ ન મળ્યા.
ચાલતાં ચાલતાં એક શેરીમાં મેડીબંધ મોટું ઘર જોયું. ઠગારી તો ય આશા જ ને? મનમાં થયું, સુખી ઘર લાગે છે. ડેલીનું બારણું ખૂલ્યું હતું. પગ ઉપાડ્યા. લાકડીને ટેકે બે પગથિયાં ચડી ડેલીમાં પગ મૂક્યો. ઉપરના માળેથી કંઈક તળાતું હોય એવી સોડમ આવી. ફળિયું મોટું હતું. એક બાજુ ખાટલા પર ચોખાની પાડેલી વડીઓ સુકાતી હતી. ઉપરના માળે ચહલ-પહલ થતી હતી. શુક્લજીએ મોં ઊંચું રાખીને સહેજ મોટો અવાજ કાઢી આશીર્વાદના શબ્દો ઉચ્ચાર્યા. એક પુરુષે બહાર ઓસરીમાં આવી કઠેડા પાસે ઊભા રહીને કહ્યું :
આગળ જાવ. અહીં કશું નહીં મળે. નીચે ખાટલા પર સુકાતી વડી જોઈ દીકરાને એમાંથી બે-ચાર લેવાનું મન થયું. જેવો તેણે હાથ લંબાવ્યો કે તરત શક્લજીએ હાથમાંની લાકડી વડે દીકરાને વાર્યો. ઉપર ઊભેલા સજ્જને આ જોયું. શુક્લજીને હજુ આશા હતી. કોઈના મનમાં સહેજ પણ દયા પ્રગટે એવા વિશ્વાસથી ફરીથી એમણે ઊંચા અવાજે આશીર્વચનો ઉચ્ચાર્યા. એવો જ ઊંચો અને હવે તો કડવાશભર્યો અવાજ ઉપરથી ફેંકાયો ! :
તમને કહ્યું તો ખરું, અહીં કશું નથી, આગળ જાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org