________________
આભના ટેકા: ૧૪૧
આ છેલ્લું ઘર હતું. છેલ્લો પ્રયત્ન હતો. શુક્લજીએ મનમાં વિચાર્યું : ભલે ! હરિ ઇચ્છા.
સહેજ નિસાસો નીકળ્યો. ડેલીના કમાડને લાકડી વડે ઠેલીને પગથિયાં ઊતરવા જાય છે ત્યાં શરીરે સમતુલા ગુમાવી. એક લથડિયું ખાઈને શરીર ઢગલો થઈને પડ્યું. મોટો ધબાકો થયો. અવાજ સાંભળી આજુબાજુથી માણસો ભેગાં થયા. કોઈ પાણી લઈ આવ્યું. કોઈ સૂંઠ લઈ આવ્યું. કોઈ કંઈ લઈ આવ્યું. પાણી છાંટ્યું. પિવરાવવા મોંમાં ટોયું. પણ પીનાર હાજર ન હતા ! પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું.
મેડી પર ઊભેલા સજ્જન પણ ધડાધડ દાદરો ઊતરીને નીચે આવી પહોંચ્યા. દિલમાં ફાળ પડી. અપરાધભાવનો તીવ્ર આંચકો લાગ્યો.
લોકોએ જોયું. મરનારને ખભે જનોઈ અને માથે શિખા જોઈ. અરે ! આ તો ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ લાગે છે ! પૃચ્છા કરી. દીકરો તો હેબતાઈ ગયો હતો. શૂન્ન થઈ ગયો હતો.
બહારગામના લાગે છે. ક્યાં ઊતર્યા છે? આમને કોણ જાણે છે ? પ્રગટનાથની જગ્યાએ લઈ ગયા. અન્ય બ્રાહ્મણોએ ઓળખ આપી. પેલા મેડીવાળા સજ્જન પણ સાથે હતા. એમના મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો! બ્રહ્મહત્યાનું પાતક લલાટે લાગ્યું ! મન કડવું-કડવું થઈ ગયું. અગ્નિસંસ્કાર તો કર્યો પણ મનમાં એથી યે ભારે લ્હાય લાગી હતી. અપાર પસ્તાવો કરતાં કરતાં માંહ્યલો જાગી ગયો ! અગ્નિસંસ્કાર પછી ગૌતમ કુંડમાં સ્નાન કરવાને બદલે એ પાતક ધોવા હિમાલયની વાટ પકડી !
એના મનને થયું, આવા નિર્દોષ અને ઉત્તમ કુળના ઉત્તમ આચારસંપન્ન • બ્રાહ્મણને મેં ના કહી. એમ ના કહેતાં મારી જીભ કેમ સિવાઈ ન ગઈ? મારું આ પાપ છે ધોવાશે? પોતે પણ બ્રાહ્મણ હતા. સમજણ તો હતી જ. પરંતુ જવાનીના તોરમાં ના પડાઈ ગઈ હતી.
ટેવ વશ, “આવા તો યાચકો આવ્યા જ કરે; બધાને આપ્યા કરીએ તો પાર જ ન આવે -- આવા સામાન્ય, તુચ્છ અને છીછરા વિચારોથી પ્રેરિત થઈને ના કહેવાઈ ગઈ હતી તે ઘણી ભારે પડી ગઈ.
આપણે ‘ના’ તો ન જ કહીએ. થોડું તો ભલે થોડું. આપીએ જરૂર. હવે એટલું તો નક્કી કરીએ કે “ના” તો ન જ કહીએ. p.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org