________________
આભના ટેકાઃ ૧૩૯ મનોભાવ પામીને, “આપણાથી આટલે લાંબે નહીં ખેંચાય” એમ માની, એક દિવસ સવારે પિતા-પુત્ર શિવાલયમાં બિલી ચડાવવા ગયા હતા ત્યારે, ઘરને સાંકળ ચડાવી પિયરની વાટ પકડી ! દાન કરતાં પણ દાનના ભાવ ટકાવવા, તે ઘણું કપરું કામ છે. દાન આપનાર હાથ તો કહ્યું કરે, પણ કહેનારનું મન ટૂંકું થઈ જાય તો હાથનું શું ગજું છે કે તે આપે?
શુકલજીનો તો નિર્ધાર હતો. ગોદડાં ને ડામચીયું વેચીને પણ દાનની સરિતા વહેવડાવી. છેવટે ઘરમાં ખાવા માટે ચપટી લોટ પણ ન રહ્યો ત્યારે, બાપ અને દીકરો બન્ને એક દોરી-લોટો લઈ ઘરને એમ જ ભોળાનાથને ભરોસે મૂકીને ગામડાની વાટે, ભગવાનને ભેરુ બનાવી નીકળી પડ્યા.
એક પછી એક ગામ વટાવતાં જાય છે. આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ કરે છે. એક ટાણું ચાલે એટલું લે છે. આજે બપોરે, ને પછી કાલ બપોરે ! પાણી પીવાય તેટલું મળી રહે તો પણ ઈશ્વરનો પાડ માને છે.
ટંકારા - મોરબીને રસ્તે થઈ ગોહિલવાડ પહોંચે છે. કાઠિયાવાડ આખું દુકાળના ભરડામાં ભેંસાતું હતું. ભલભલા દાતારના પણ હાથ સંકોચાઈ જાય તેવા કપરા દિવસો આવી ગયા હતા. ચાલતાં-ચાલતાં ભાવનગરની પાસેના સિહોર ગામે બાપ-દીકરો પહોંચ્યા. શકલજી દીકરાને જીવની જેમ સંભાળે છે. બહુ વરસે એમને ઘેર પારણું બંધાયું હતું. દીકરો હજુ તો સાત જ વરસનો થયો હતો. એના પર હેત-પ્રીત તો અદકાં જ હોય ! આવી કુમળી વયે એને પણ એક ગામથી બીજે ગામ ફરવું પડે છે. ક્યારેક પેટ-પૂરતું મળે; ક્યારેક બે બટકાં ખાઈને પાણી પી લેવું પડે. નાની વયમાં આવી કારમી પળો જોવી પડે, એ પણ કરમની બલિહારી જ છે ને! '' સિહોરમાં આજે ત્રીજો દિવસ છે. ગામ બહાર પ્રકટનાથ મહાદેવની જગ્યામાં ઊતર્યા છે. બે દિવસ થયા, અન્નપૂર્ણાની ઝોળીએ ચપટી લોટ જોયો નથી. બીજા ઘણા યાચક બ્રાહ્મણો પણ શુક્લજીની જેમ ગામ ગામ ભટકતાં અહીં સિહોર આવી પહોંચ્યા છે. એમાંના ઘણાંએ તો જામનગરમાં શુક્લજીને ત્યાંથી કેટલીયે વાર ભિક્ષા પણ મેળવી હતી, તે ઓળખી ગયા. વખત વખતને માન છે ! ત્રીજા દિવસના અંતે પણ ઝોળી ખાલી જોઈ દીકરાએ પેટનો ખાડો બતાવી કહ્યું કે, “થોડું પણ ખાવાનું આપો.” એમ ‘વન' લીધું ત્યારે દીકરાની આંખના સ્ફટિક જેવા નિર્મળ આંસુ જોઈ બાપની આંખ પણ ચૂવા લાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org