________________
૧૩૮ : આભના ટેકા
હવે નવા વરસમાં ‘ના’ નથી કહેવી ને !
વાતે વાતે આપણને ના કહેવાની ટેવ હોય છે !
‘ના’ પાડવાની જરૂર ન હોય તો પણ પહેલાં તો ‘ના’ નો ઉચ્ચાર થઈ જ જાય ! પછી ‘હા’ નું વલણ ક્યારેક આવે. આવી ટેવ-વશ પડાઈ ગયેલી ‘ના’ નું પરિણામ જોવા મળે ત્યારે પારાવાર પશ્ચાત્તાપ પણ થતો હોય છે. એ ‘ના’ થી બગડેલી બાજી સુધારી શકાતી નથી, એનો વસવસો તો પેલા પસ્તાવાથી પણ વધુ તીવ્ર હોય છે.
આવી એક સત્ય ઘટના તમારી સમક્ષ લાવવી છે.
ઘટના સત્ય હોય, નજીકના કાળમાં બનેલી હોય ત્યારે એની અસરકારકતા ઘણી હૃદયસ્પર્શી હોય છે.
લ્યો. સાંભળો ત્યારે એ વાત ! જામનગર શહેર એક કાળે સૌરાષ્ટ્રનું ‘છોટીકાશી' કહેવાતું. ત્યાંના જૈનો એને અડધો શત્રુંજય કહેતા હતા. આ છોટીકાશીમાં બ્રાહ્મણો ઘણાં વસે. ત્યાં બ્રાહ્મણ બટુકો પણ ખૂબ ભણતાં. ‘માધુકરી’થી પોતાની આજીવિકા નિભાવે. કેટલાયે સુખી અને શ્રીમંત સદ્ગૃહસ્થોને ત્યાંથી ‘માધુકરી'માં દાળ-ચોખા મળે. છાલીયું ભરી લોટ પણ મળે. આવી દાન-દયા વૃત્તિ પર ઘણા નભતાં. વણિકો પણ આપે, બ્રાહ્મણો પણ આપે. આ વાત એ જમાનાની છે, જ્યારે ઘરોમાં રોજ-રોજ તાજો લોટ ઘરની ઘંટી પર દળાતો. યાચક બ્રાહ્મણોને પણ આ લોટ અપાતો. જેની વાત માંડી છે એ સુખી અને ઉદાર શુક્લ બ્રાહ્મણના દ્વારે પણ સંખ્યાબંધ યાચકો રોજ સમયસર આવતા. બધાને રોજ ‘માધુકરી’ મળતી.
એક નબળું વરસ આવ્યું. દુકાળના ઓળા પથરાયા. યાચકોની લંગાર વધતી ગઈ, તો દાતાઓની સંખ્યા ઘટતી ગઈ ! આમ બેવડી રીતે દુકાળ સર્વત્ર છવાઈ ગયો.
શુક્લ બ્રાહ્મણને ત્યાંથી ત્રણ દિવસ અપાતો લોટ એક જ દિવસમાં દાનમાં અપાઈ જતો. સૌ પહેલાં તો ગોરાણીના ભાવ ખૂટ્યા ! મન અને તન રીસાયા. પતિ-પત્ની વચ્ચે મન-દુ:ખ થાય એવો કલહ થયો. ઘરવખરી વેચીને પણ દાનનો પ્રવાહ ચાલુ રાખવો એવું શુક્લજીએ વિચાર્યું હતું. ગોરાણીએ, એમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org