________________
આભના ટેકા : ૧૨૯
દેવદત્તાએ આ તાસક પ્રેમથી લઈ અને માતાજીને આપી.
આવો સ્પષ્ટ ભેદ દેખાયા છતાં મૂલદેવ નિર્ધન થવાના કારણે તેને કેળાંની છાલની જેમ ત્યજી દેવામાં આવ્યો.
મૂલદેવે આ ઘટનાને કોઇ સંકેત રૂપે જોઈ. એણે વિચાર્યું કે આવી સ્થિતિમાં આ ગામમાં રહેવું ઠીક નહી. ભાગ્ય ઉઘાડવા માટે અન્ય ગામમાં જવું એવો વિચાર કર્યો, સંભવ છે કે ત્યાં ભાગ્યોદય થઈ પણ જાય. આમ સ્વસ્થપણે વિચારી, વિવેકીને શોભે તેવો નિર્ણય કર્યો.
તે સમયમાં એક નગરથી બીજા નગરમાં જવા માટે વચ્ચે મોટાં જંગલ આવતાં. તેને પસાર કરવા પડતા. રસ્તામાં પશુઓનો ભય રહેતો. લૂંટારુઓ પણ એકલ દોકલ માણસને લૂંટી લેતા; એનો પણ ભય રહેતો. વળી જંગલ પસાર કરતા ત્રણ-ચાર દિવસ લાગે. એકલા માણસને તો રસ્તો કેમે ય ન ખૂટે. એટલે કોઇ ને કોઇનો સાથ સંગાથ શોધે. એકથી ભલા છે. વળી વાતે વાટ ખૂટે, વાત કરતાં રસ્તો ક્યાં પસાર થાય તે ખબર ન પડે. તેથી મૂલદેવ, બીજો કોઈ પગપાળે ચાલનાર મળે તો સારું એમ વિચારીને સાથીની રાહ જોવા લાગ્યો. અને એ અટવિની શરૂઆતના ભાગે જ એક બ્રાહ્મણ-ભૂદેવ મળ્યા. જોઇને પૂછયું: ‘વસંતપુર જવું છે ?” “હા! મારે પણ એ જ નગર જવું છે.” ચાલો ત્યારે એકથી બે ભલા. અને મૂલદેવે એ ટાલવાળા બ્રાહ્મણ સાથે ડગ માંડ્યા.
ન સંકલ્પો, ન સંચરવું, ન એક શબ્દ સાંભરશે. નિરુદ્દેશે મઝાનું મન,
ઘજાની જેમ ફરફરશે. રાજેન્દ્ર શુક્લ) વિશાળ અટવિ, સ્નિગ્ધ છાયાવાળાં વૃક્ષોના ઝુંડના ઝુંડ. જાત જાતના પક્ષીઓનો મીઠો કલરવ. સાથે વાતોના તડાકા. વાતોમાં જો સ્ત્રી કથા, રાજ કથા, ભોજન કથા માંડતા આવડે તો તેનો અખૂટ ખજાનો બધા પાસે સંઘરાયેલો હોય છે. બસ, પગ ચાલ્યા કરે, જીભ ચાલ્યા કરે. રસ્તો ક્યાં ગયો તે ખબર જ ન પડે. પણ ચાલતાં ચાલતાં પેટ પાતાળ જાય ત્યારે ખબર પડે અને પગ અટકી જાય, જીભ પણ અટકી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org