________________
૧૨૮: આભના ટેકા
આ કથાનું મથાળું શું હોઈ શકે?
ગુણસંગ્રહ, દોષ-સંયમ અને પુણ્યોદય એ ત્રણ સાવ સ્વતંત્ર અને તદ્દન જુદી જ વસ્તુ છે. પહેલા બે છે તે આત્મ સંબંધી છે; ત્રીજું છે તે કર્મ સંબંધી છે. પહેલા બે છે તે આત્માન નક્કર પગ પર ઊભાં છે અને ત્રીજું છે તે કર્મની કાચી માટીના પગ પર ઊભેલું છે. તે ક્યારે બેસી જાય તે નક્કી નહીં.
આજે આપણે, એક પ્રસંગકથાને સહેજ ઝીણવટથી જોવાનો પ્રયત્ન કરીએ અને આપણે અનાયાસે જ આપણી જાત સાથે સરખાવીએ; અથવા એની જગ્યાએ પોતાની જાતને મૂકી ને વિચારીએ.
નામ એમનું મૂલદેવ. સુખી અને સંપન્ન. પરંતુ જીવનમાં દશા-વીશી આવે. સારી નબળી સોબતથી જીવનનું વહેણ ફંટાઈ જાય. ચીલાની બહાર પણ પગ પડી જાય. સોબતવશ ઉન્માર્ગે ચડી ગયા; ખુવાર પણ થઈ ગયા.
દેવદત્તા નામની ગણિકા. ભારે ચતુર; તેજસ્વિની અને કુશળ. તેના સંપર્કમાં આવતાં મૂળદેવ પોતાના ઘરને ભૂલી ગયો. વર્ષો વિત્યાં. સ્વજનો ગામ ત્યજીને વિદાય થઈ ગયાં. ધન ખૂટી ગયું એટલે ગણિકાની માતાએ મૂલદેવને રસ્તા ઉપર મૂકી દીધો. દેવદત્તાએ માતાને સમજાવવા મૂલદેવના ગુણ ગણાવ્યાં. તેનામાં કેવી કેવી વિશેષતા છે તે બધું સુપેરે પ્રયોગથી સમજાવ્યું.
એક અત્યંત ધનવાન પરંતુ ગમાર માણસ પણ રોજ દેવદત્તા પાસે આવતો. દેવદત્તાએ તેને કહ્યું કે, “આવતી કાલે શેરડી ખાવાનું મન છે. લાવજો.” વળતે દિવસે સવારના પહોરમાં જ એક ગાડું દેવદત્તાના આંગણે ઠલવાયું. તેમાંથી શેરડીના ભારા ઘરમાં લાવવામાં આવ્યા. મોકલનારે જે કહેવરાવ્યું હતું તે કહ્યું કે, “ગઈ કાલે વાત થયા મુજબ શેરડી મોકલી છે. સુખેથી ઉપયોગમાં લેજો.” દેવદત્તાએ પેલા સંદેશવાહકને તો વળતું કહેવરાવ્યું કે શેરડી માણસ માટે મોકલવાની હતી, પશુ માટે નહી.
એ જ ઇચ્છા મૂલદેવને પણ જણાવી હતી. કલાકવાર પછી મૂલદેવ પોતે આવ્યો. સુંદર-સ્વચ્છ તાસક લઈ આવ્યો. તાસકમાં શેરડીના છોલેલાં નાના ટુકડા-ગંડેરી, તેની ઉપર એક એક લવિંગ ખોસેલા. આજુબાજુ ફુલની ગોઠવણ પણ તેની સુંદરતામાં વધારો કરતી હતી તેના ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org