________________
૧૧૬: આભના ટેકા
ભરોસો - દવાનો કે દુવાનો?
વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ પડે છે.
સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિને જ વિકાસ કહી શકાય. એના બદલે અહીં તો ક્યારેક સૂક્ષ્મનો સ્વીકાર પણ નથી, એવું લાગે છે.
સૂક્ષ્મ તત્ત્વો દષ્ટિગોચર નથી, પણ અનુભવગોચર છે. આ અનુભવવાની સંવેદનશીલતા જ ઘટતી હોય તેવું નથી લાગતું? | સંવેદનશીલતા એ હૃદયનો ધર્મ છે. તેને આડે બુદ્ધિનો પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુઠ્ઠી થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને.
સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો અનુભવ થયા વિના ન રહે.
કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય સંભળાય!
દવા-ઔષધ એ સ્થૂળ છે. આ દશ્ય આંખથી દેખાય છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુવા એ સૂક્ષ્મ છે. એ એક મનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે. દુવાની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે.
દુવાના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક અંશ સક્રિય બને છે; તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે છે, તે તમને સમજાયા વિના નહીં રહે.
દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂક્ષ્મનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ?
હવે એક પ્રસંગ જોઈએ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org