________________
આભના ટેકા : ૧૧૫
નાથાલાલ શેઠે તો ગોળો ગબડાવેલો. એમને તો ગળા લગી એવી ખાત્રી હતી કે નવી પરણ્યો છે તે શાનો વ્રત લે! પણ ફુલચંદ તો મરદ બચ્ચો નીકળ્યો. ‘સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે...’ સજ્જનનાં વચન તે પથ્થરની લકીર.મુહૂર્ત જોવરાવ્યું. પોળમાં તો આનંદની લહેર ફરી વળી. જે સાંભળે તેહેં હૈં..કહે. શું વાત કરો છો. ખરી કરી. આ બાજુ નાથાલાલ શેઠે તૈયારીઓ કરવા માંડી. પોળના એકમાત્ર યુવક મંડળને રૂપરેખા આપી. યુવકોએ બધી જવાબદારી સંભાળી લીધી. આખા અમદાવાદના સમગ્ર શ્રી સંઘોને રીતસર આમંત્રણ પાઠવવામાં આવ્યું. જમવાના સ્થળ તરીકે જાણીતો ભગુભાઇનો વંડો રાખવામાં આવ્યો.
સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં ફુલચંદ અને ડાહીકાકીને સજોડે ચતુર્થ- બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારવાની વિધિનો પ્રારંભ થયો અને આ બાજુ શહેરની પોળોના અલગ અલગ સંઘના ભાઇ બહેનોનું ભગુભાઇના વંડે જમવાનું શરું થયું.
ઘેરથી થાળી લાવવાની અને પંગત માંડીને બેસવાનું. મગસ, ફુલવડી, વાલ અને દાળ ભાત. ફાગણ મહિનો હતો. સવારના નવથી સાંજે સૂર્યાસ્ત સુધી લોકો આવતાં રહ્યાં. કોઇ રોક ટોક વિના ત્રીસથી પાંત્રીસ હજાર માણસ ધરાઇને જમ્યું. એ જમાનામાં આ ભગુભાઇનો વંડો એ વિશાળ જગ્યા હતી. જ્ઞાતિના નાના-મોટા જમણવાર પણ અહીં થતાં. પણ નાથાલાલ શેઠ તરફથી રખાયેલ આ સ્વામિવાત્સલ્યમાં તો લોકોના ટોળે ટોળાં જમવા આવતાં જોઇને લોકો બોલતાં ‘ભગુભાઇનો વંડો, અને આવે તે જમવા માંડો.' આજે જુના માણસો હજી કહે છે કે બસ, અમદાવાદ શહેર એ વખતે છેલ્લીવાર આમ જમ્યું. અને તે પણ આવી રીતે-વાત વાતમાં. તેથી એ ઘટના લોક-બત્રીસીએ કાયમ જીવતી રહેશે.
માત્ર ચાલીસ-બેંતાલીસ વર્ષની વયે એક સંપન્ન શ્રાવકે આમ રમત રમતમાં આવું વ્રત લીધું. લોકો તેની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એમણે વ્રત લીધું એ પ્રશંસાપાત્ર કામ થયું તો નાની વાતમાં ‘શહેર જમાડીશ' એવું બોલેલું વચન નાથાલાલ શેઠે પાળી બતાવ્યું તે પણ પ્રશંસાપાત્ર અને અનુમોદનીય ગણાયું. બન્નેની યશોગાથા ચોમેર ગવાઇ. I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org