________________
૧૦૨ : આભના ટેકા
સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના
ત્રણસોએક વર્ષ પહેલાની આ વાત છે.
શંખેશ્વર તીર્થ નજીકના લોલાડા ગામ છે. ગામમાં જૈનોના ત્રીસ-ચાલીસ ઘર વચ્ચે સુંદર રળિયામણું એક દેરાસર છે. ગામ સુખી છે. પ્રજા શાણી અને સરળ છે. એક મુસલમાન સૂબાનું ત્યાં રાજ છે.
એ ગામમાં સંગ્રામ નામનો એક શ્રાવક વસે છે. એનો નાનો પણ સુખી પરિવાર. માતા છે, સુશીલ પત્નિ છે, એક બાળક છે. સંગ્રામ સંતોષી સ્વભાવનો છે. એક સોનીની દુકાનમાં ચાંદીના ઘૂઘરા, પોંચી વગેરે દાગીના ઘસવાનું કામ કરે છે.
વૈશાખ મહિનાના દિવસો હતા. ગરમી પડતી હતી. એક દિવસ સવારે સંગ્રામ ગામની બહાર પાદરમાં વડીશંકાએ ગયા હતા. વળતાં એક આંબાવાડીમાં સૂબાને તેની સાથે આઠ-દશ માણસો સાથે જોયા એટલે એ પણ આંબાવાડીમાં ગયા. વાડીનું રખોપું ક૨ના૨ માળી સથે સૂબા વાત કરી
રહ્યા હતા.
આંબાવાડીમાં આંબાઓ પર મબલખ પાક થયો હતો. કેટલાંક આંબા તો કેરીના ભારથી સાવ નમી ગયા હતા. સૂબો આ જોઈ ખુશખુશાલ થતો હતો. તેમાં અચાનક એની નજર એક આંબા પર ગઈ. ત્યાં એક પણ કેરી ન હતી ! સૂબાએ માળીને પૂછ્યું : આમ કેમ ? માળી કહે કે આ આંબો વાંઝીયો છે, આના પર કેરી નથી આવતી. એ સાંભળી સૂબાએ ફરમાન કર્યું : ઈસકો નિકાલ દો.
સંગ્રામે પણ આ સાંભળ્યું. જીવદયા પ્રેમીનું મન દુભાયું ઃ મારી હાજરીમાં એક પણ વૃક્ષ છેદ થવાની વાત કેમ થઈ શકે ? આ ન બની શકે. પરંતુ ક્યાં આ ગામનો ધણી સૂબો અને ક્યાં સામાન્ય પ્રજાજન ! જીવ માત્ર પ્રત્યેની ભરપૂર દયાને કારણે તેનાથી રહેવાયું નહીં. સૂબાની પૂરી અદબ જાળવી એણે વિનંતિ કરી : જહાંપનાહ ! મેરી ઈચ્છા હૈ કિ યહ વૃક્ષ કો ન કાટા જાય. તરંગી અને તોરીલા સૂબાને આ સાંભળવું ગમ્યું તો નહીં છતાં તેણે કહ્યું : ઈસ પર દિ આમ લગ જાયે તો ૨ખે. આવી બેહુદી વાત લોકો સાંભળી રહ્યા.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org