________________
આભના ટેકા: ૧૦૧ કહે: ભગત, તમે એક પણ અપશબ્દ નહીં બોલશો તો આવતીકાલ સવાર સુધીમાં ઊચાળા ભરી આ ગામ છોડી દેવું પડશે.
હવે તો ગામના મોટેરાઓ ભગતને સમજાવવા લાગ્યા.
ભગત, એકવાર બોલી દો ને ! પણ ભગત કોનું નામ. મૌન જ રહ્યા. મોંમાંથી અપશબ્દ કેમ નીકળે? ન જ નીકળ્યો!
વળતે દિવસે વહેલી સવારે, પેઢી દર પેઢીનું વતન, જામેલો ધંધો, કાયમી ઘરાકી, જૂના ગાઢ સંબંધોને પીઠ કરીને, ઘરવખરી ભરેલા એક ગાડા સાથે ચાલી નીકળીને નજીકના તરક તળાવ ગામે જઈને રહ્યા ! કેવું ધીંગું ખમીર ! સ્વીકારેલા ધર્મમાં કેવી અડગતા!
॥अकर्तव्यं नैव कर्तव्यं प्राणै कण्ठगतैरपि ॥ ન કરવું તે ન જ કરવું, ભલે ગળે આવે પ્રાણ' a
એમાં શું?
વૈભવ હોય પણ વ્યવસ્થા ન હોય તો વૈભવ ટકે નહીં એવું ક્યારેક જોવા મળે છે.
એક કાળના ધનવાન એવા એક શેઠને નબળા દિવસો જોવાનો વારો આવ્યો. લેણદારોને ચૂકવણી કરવા માટે સંપત્તિ વેચવી પડી. આમ સામેથી સંપત્તિ વેચવા નીકળે એટલે તો સોના સાઈઠ જ ઉપજે ને ! ઘરેણાં અને દુકાન વેચ્યા પછી હવે વારો ઘર વેચવાનો આવ્યો. જાહોજલાલીમાં બનાવેલું ઘર પણ ખાસ્સે હવેલી જેટલું મોટું ! એના પણ ભાવ-તાલ નક્કી થયા. રાચરચીલાં સાથે જ સોદો થયો. . • લેવાલ વેપારી કબજો લેતા પહેલાં રાચરચીલાં વગેરેની યાદી કરવા બેઠા. વેચનાર
શેઠ એક-એક વસ્તુ ગણાવતા જાય. લેનાર યાદી પ્રમાણે ચીજ-વસ્તુ મેળવતા જાય. 1 ક્રમમાં બધું આવતું ગયું, ગણાતું ગયું, મેળવાતું ગયું. તેમાં ખુરશીઓનો વારો
આવ્યો. હાથાવાળી અને હાથા વિનાની ખુરશીઓ ગણાતી ગઈ અને નિશાની થતી ગઈ. નોંધમાં તેર ખુરશીઓ હતી અને ઘરમાંથી ગોતી ગોતીને ભેગી કરતાં બાર જ થઈ. - લેનાર વેપારીએ કહ્યું : ક્યાંક આડી-અવળી ઉપર-નીચે પડી હશે. જોવરાવો.
વેચનાર શેઠ કહે : એમાં શું? તેને બદલે બાર છે તો બાર !
લેનાર વેપારી તરત બોલ્યો : “એમાં શું ” એવું તમે કહો છે તેમાં જ તમારે બધું વેચવાના દિવસે આવ્યા અને મારે લેવાનો વારો આવ્યો! 2.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org