________________
આભના ટેકા: ૧૦૩
સંગ્રામ કહે : સાત દિન કી મહેતલ દી જાય, તબ ઈસ વૃક્ષ પર આમ લગ સકતે હૈં. સૂબો કરડાકીથી બોલ્યો કે જો સાત દિવસમાં આના પર કેરી નહીં લાગે તો તમને દેહાંતદંડની સજા કરવામાં આવશે ! સંગ્રામે વી જ કલ્પના કરી હતી. મનમાં જીવદયાનો પ્રભાવ હતો એટલે આ આકરી શરત સ્વીકારી. સાંભળનારા આશ્ચર્યમાં પડ્યાઃ અરે ! સંગ્રામે આ ક્યાં કહ્યું? સાત દિવસમાં આ કેમ થાય? બિચારાનો જાન જોખમમાં મુકાશે!
સંગ્રામ ઘરે આવ્યો. માતાને પ્રણામ કરીને બોલ્યો : મા ! તારા આપેલા સંસ્કારના પ્રતાપે આજે આવું કહીને આવ્યો છું. કોઈ પણ જીવની હત્યા હું સાંભળી ન શક્યો. હવે તારે મને રાહ દેખાડવાનો છે. મા ખૂબ રાજી થયા. માથે હાથ મૂકીને કહે: બેટા ! તે ખૂબ સારું કામ કર્યું. એક શ્રાવકને શોભે એવું કર્યું. આજથી હવે તું રોજ સ્નાન કરીને તારા ભીનાં વસ્ત્રના જળથી એ આંબાને સીંચજે. જરૂર ફળ મળશે. માના શબ્દ પ્રમાણે સંગ્રામે રોજ એ વાડીમાં જવાનું, પાણી ગાળીને ત્યાં જ પથ્થર પર બેસીને સ્નાન કરવાનું અને એ ભીનાં વસ્ત્રના જળથી આંબાને સીંચવાનું ચાલુ કર્યું. પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરવા માંડી.
અનેક લોકોના આશ્ચર્ય વચ્ચે, પાંચમે દિવસે બપોરે માળીએ સંગ્રામને વધામણી આપી : ભાઈ ! એ આંબા પર તો આજે માંજર દેખાય છે !
છઠે દિવસે આંબા પર “મરવા' પણ દેખાયા ! અને બરાબર સાતમે " દિવસે તો શાખવાળી કેરીઓ જોવા મળી !
સાચા દિલનો ભાવ કેવો ફળે છે એ બધું ગામ લોકોએ પ્રત્યક્ષ જોયું. સંગ્રામના શીલ પર એની માતાને પૂરેપૂરો ભરોસો હતો. આંબાના જીવને બચાવવાના સંકલ્પનું સુંદર પરિણામ આવ્યું !
આઠમા દિવસે સારી મજાની ચાંદીની થાળીમાં સાતેક કેરી મૂકી, ઉપર રેશમી વસ્ત્ર ઢાંકીને વાજતા ગાજતે, સૂબાને ભેટ ધરવા ગયા; ભેટ ધરી ઊભા રહ્યા.
સૂબો તો તે દિવસની વાત ભૂલી ગયો હતો. પૂછ્યું: યહ સબ ક્યા હૈ? સંગ્રામની વાત સાંભળીને તો તે છક થઈ ગયો ! માણસોને તપાસ કરવા મોકલ્યા. માળીને સાથે લઈ બધા પાછા આવ્યા અને બધી હકીકત સાંભળી, શાબાશ ! શાબાશ! એમ બોલી ઊઠ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org