________________
આભના ટેકા:૯૯ હાથથી થોડાં આઘાપાછાં કરે અને ત્યાંથી રાણી છાપ ચાંદીનો એક રૂપિયો અને એક પાવલી (સવા રૂપિયો) એના હાથમાં આવે ! કહે : દાદા રોજ મને આપે છે. આ વાત બારોટ લોકોના કાને પહોંચી. બધા બારોટ કહે : આ રૂપિયાનો હક્ક અમારો. ચોપદાર કહે : ભલે બાપા! તમે લેજો. વળતે દિવસે દરબાર ખૂલતાં બારોટ પણ આવી ગયા. કરસન પણ આવ્યો. પૂજારીએ ગભારો ખોલ્યો. છડી બોલાઈ. બારોટ અંદર ગયા. ફૂલ આઘાપાછાં કરી કલદાર રૂપિયો ગોતવા લાગ્યા પણ ફૂલ સિવાય કશું હાથ ન આવ્યું. વીલે મોઢે બધા બહાર આવ્યા. પછી કરસને અંદર જઈ દાદાને નમન કરીને ફૂલ સહેજ આમતેમ કર્યા. બધા જોઈ રહ્યા હતા. ખૂલ્લી આંખે જોતા હતા અને કરસનના હાથમાં ચાંદીનો ચળકતો રૂપિયો આવ્યો. બધા એકી અવાજે બોલી ઊડ્યા : વાહ! આદેશ્વર દાદા સાચા અને તેનો ભગત પણ સાચો.
વિજયા દશમીનો દિવસ છે. દશેરાની સવારી ઠાઠમાઠથી નીકળી છે. પાલિતાણાના ઠકોર રાજા માનસિંગ હાથીના હોદ્દે બેઠા છે. સાજન-માજનરામ-રસાલો પણ બહોળો છે. સવારી હવાઈ મહેલથી નીકળી, ગામની મધ્યમાં થઈને તળેટી તરફ આગળ વધી રહી છે.
આજે જ્યાં વલ્લભ વિહારની સામે પાંચ બંગલા છે ત્યાં પહેલાં ખીજડાનું બહુ મોટું ઝાડ હતું અને તેની નીચે વિશાળ ગોળ ઓટલો હતો. એ ખીજડિયો ઓટલો કહેવાતો. ત્યાં કરસન ચોપદાર બેઠો હતો. સવારી ત્યાંથી પસાર થતી હતી ત્યારે હાથી પર બેઠેલા રાજા માનસિંગની નજરે આ કરસન ચડ્યો. ચાલુ સવારી થોભાવી અને કરસનને કહ્યું : કરસન છડી બોલ ! તને આખું ઘેટી ગામ ઈનામ દઈશ. આખી સવારીના અને ભેળાં થયેલા લોકના કાન એક થઈ ગયા. કરસન શું બોલે છે?
કરસન કહે છડી દાદા પાસે જ બોલાય. ઘેટી તો શું બધાં ગામ દો તો ય હું અહીં છડી ન બોલું. રાજા માનસિંગ ચૂપ થઈ ગયા. સવારી એમ જ આગળ ચાલી.
બધા લોકો કરસનની નીડરતા અને દાદા પ્રત્યેની અવિહડ આસ્થાની વાતો અહોભાવથી કરતા રહ્યા.
આપણને પણ આ ખુમારી સ્પર્શી જાય તેવી છે. માંગવાનું મન થાય તો આ ખુમારી. આપણામાં એ પ્રગટે તો કેવું સારું ! ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org