________________
૯૮: આભના ટેકા
એ જ ખુમારી માંગું છું
વાત વર્ષો પહેલાની છે. ત્યારે પાલિતાણામાં માનસિંગ ઠાકોરનું રાજ્ય ચાલે. ઠાકોર ભારે કરડો, ભરાડી અને એંટવાળો માણસ. આ ઠાકોરના રાજ્યમાં કરસન ચોપદાર નામનો ભગત હતો. આપણે તેની વાત કરીશું.
શત્રુંજય પર્વત પર દાદા આદીશ્વર ભગવાનના દરબારમાં રોજ ચારવાર છડી બોલાય. છડી બોલનારનું નામ કરસન ચોપદાર. કરસન પૂરો સાડાપાંચ ફૂટ ઊંચો; સીસમના સોટા જેવો બાંધો અને વાન પણ ચમકતા સીસમ જેવો જ. અવાજ અષાઢી મેઘની ગર્જના જેવો અને લહેકો તો જાણે મોરના ટહૂકાનો માળો ! છડી બોલાય ત્યારે ભલભલા ડોલી ઊઠે. એના અવાજની ખૂબી તો ખરી જ, પણ એના રણકારમાં જે રંગ હતો તે તો આદીશ્વર દાદા પ્રત્યેની ચોળ-મજીઠ જેવી શ્રદ્ધાનો રંગ હતો. ક્યાંય જોવા ન મળે એવો રૂડો રંગ.
એક દિવસ માનસિંગ ઠાકોર ગિરિરાજની યાત્રાએ આવ્યા. રસાલો તો સાથે જ હોય. તે જેવા દાદાના દરબારમાં આવ્યા ત્યાં કંરસને હલકદાર કંઠે દાદાની છડી પોકારી ધ્રુપદના ગાન જેવી, ઘેઘુર અવાજે કરસનની નાભિમાંથી નીકળતા નરવા સાદે બોલાયેલી છડી સાંભળીને ઠાકોર ખુશખુશાલ થઈ ગયા. ખુશાલી પ્રગટ કરવા, પોતાના જમણા પગનો સોનાનો તોડો હતો એનો પેચ કઢાવીને હાથમાં લીધો. સવાસો તોલાનો એ નક્કર તોડો કરસનને આપવા હાથ લાંબો કર્યો પણ, ચતુર ઠાકોર આપતાં અટકી ગયા : કરસન ડાબો હાથ કાં ધરે ? કરસન કહે : જમણો હાથ દાદા સિવાય કોઈની પાસે ન ધરાય ! ઠાકોર બોલ્યા : તો થયું. અને તોડો પાછો પહેરી લીધો. જોનારા બધા અવાફ થઈને જોતાં રહ્યાં. દરબારના મનમાં કરસનની છડીનો ગુંજારવ અને એનો વટ –-બને વસી ગયા.
કરસન તો દાદા આદીશ્વરનો હાડસાચો ભક્ત. ભગવાન પણ, જે તેને દિલ દે છે તેને તે પણ દિલ દઈને દે છે. રોજ સવારે ભળભાંખળું થતાં દાદાનો ગભારો ખૂલે તે ટાણે કરસન નાહી-ધોઈને, સ્વચ્છ થઈને ગભારા પાસે આવી ઝૂકી ઝૂકીને નમન કરે. મોકળા મને અને ખૂલ્લા કંઠે દાદાની છડી પોકારે. પછી અંદર જઈ, દાદાના સિમાંના ખોળામાંના) ફૂલના ઢગલાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org