________________
હર રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક
નંદનસૂરિજીએ સંમતિ આપી કે બરાબર છે, પુણ્યવિમઆપે, કેશુભાઈને વંચાવી દઈએ.
પંચપ્રેમવિ -સમાચાર તે જ આવે છે તેના માટે અમે કહેલું ત્યારે) તમે શરૂઆતમાં કહેલ કે આટલા બધામાં કોને રોકવા? (તે આજે જ ગુજરાત સમાચારના લખાણ માટે કેમ વાત થાય છે?).
પુણ્યવિહ-આપણે એ વિચાર ન કરે. આપણને ઉભયને એમાં હાનિ છે. અનભિજ્ઞ વ્યક્તિઓ જ આવા ભળતા સમાચાર આપે છે. આપણે એને વજુદન આપવી ઘટે.
નંદનસૂરિજી-આ પક્ષનું સારૂં (છાપે) કે-એ પક્ષનું એમાં આપણે રાજી થવાનું નથી. પરિણામે બેઠું છે.
પુણ્યવિવ-મારી પાસે એક ભાઈ આવેલ. મેં કહેલ કે અમારી વાત રીતસર ચાલે છે. અમારા વચ્ચે અનિષ્ટ તત્વ ઉભું નથી થતું. તટસ્થપણે લખવા માંગતા હે તે તમે વ્યવસ્થિત લખો. તટસ્થપણે જવાબદારી સાથે મુનિસંમેલનની સાચી વાત લખવા માંગતા હે તે થઈ શકે. એક બે વ્યક્તિ ભેગી થાય તે સહેજે થાય તે આટલા બધામાં (તે) સંભવિત છે. આજ સુધી ઘણીવાર આવું લખાણ ઉગ્રરૂપે ઘણીવાર થયું. હાલ સુધી એવું કોઈ વિષમ તત્વ નથી થયું. પરસ્પર ગળી જઈને કામ સારું ચાલે છે. પણ હવે આપણા સંમેલનના કામને વ્યવસ્થિત રાખવા માટે અમુક વિચાર નકકી કરવાની જરૂર ખરી. જો કે-હું આવી વાતમાં બહુ માન નથી, મુનિમંડળ જે એમ માને કે-આવા ભળતા સમાચારમાં કંઈ તથ્ય નથી તે કંઈ વાં જ નથી. રાજદ્વારી બાબતમાં આવા અનેક વિચિત્ર વાતાવરણ સર્જાય તે સંભવિત છે.
રામચંદ્રસૂરિ-બધા સમાચાર આવે. પ્રચારમાં આવતી વાતે માટે પ્રતિબંધ કરવું જોઈએ. સંમેલન તરફથી સાંજે (સમાચાર) આપી દેવામાં આવે. તેમાં જણાવાયેલ વાત સિવાય બીજી માન્ય નથી. તેથી જનતા પર સારી છાપ પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org