________________
મૈં પહેલા દિવસની કાર્યવાહી
પધાર્યાં છે તેનું કારણુ સહેજે સમજાય તેમ છે. આપ સૌનાં હૃદયમાં જૈનસઘની ઉન્નતિ અને જૈનશાસનના પ્રભાવ ફેલાવવાની તમન્ના હમેશાં રહેલી છે. આ સ ંમેલનમાં આપ એકમતે જે નિ ય કરશે તે એવા હશે કે જે જૈનધમ ના પ્રભાવ સારા ભારતવષ માં ફેલાવે.
મારી નમ્ર માન્યતા પ્રમાણે આજના વખત એટલા તા કપરા આવી લાગ્યા છે કે જ્યારે ઘણા ઘણા પ્રશ્નો જૈનશાસનને હચમચાવી રહ્યા છે, એવા મહત્વના પ્રશ્નોના તાત્કાલિક સ્પષ્ટ નિણ્ય જૈન શાસનની શે।ભામાં વધારો કરશે એમ હું માનું છું. આવા પ્રશ્નોને ઉકેલ મુશ્કેલ હાય અથવા પૂજ્ય આચાય ભગવંતામાં પરસ્પર મતભેદ હાય, એટલા કારણથી તેવા પ્રશ્નોને ચર્ચામાં સ્થાન આપવામાં નહિ આવે. અથવા તે તેના નિણયાત્મક અને જૈનશાસનને શાલે તેવા નિકાલ કરવામાં નહિં આવે તે, આપ સૌએ લીધેલા પરિશ્રમ અને શાસનની સેવા કરવાની આપની ઈચ્છા કેટલે અંશે ખર આવશે, એ આપ વિદ્વાન મુનિવરો જ વિચાર કરશે.
આપ
સૌ તિથિચર્ચાના નિર્ણય કરવા આ સમ્મેલનમાં પધાર્યાં છે. મારી નમ્ર માન્યતા છે કે-તિથિચર્ચા એ ખીજા ઘણા અટપટા અને મુશ્કેલ પ્રશ્નોમાંના એક જ પ્રશ્ન છે. એટલે માત્ર અમદાવાદ જ નહિ પણ સારા હિન્દુસ્થાનના શ્વેતાંબર જૈનસંઘ એ આશા સેવે છે કે-આપ સૌ આ સંમેલનમાં આ બધા પ્રશ્નોના નિકાલ નિશ્ચયા ત્મક રીતે આપશે.
'આપણામાં જૈનસ’ધનાં ચાર મંગા કહેલાં છેઃ-૧ સાધુસસ્થા, ૨ સાધ્વીસંસ્થા, ૩ શ્રાવકા અને ૪ શ્રાવિકાઓ. આ જાતના ચતુ વિધસ'ધ પાતાની આમન્યાએમાં રહી વર્ષે એ અતિ અગત્યનું છે. એ મહા દુ:ખની વાત છે કે આજે આ ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડા પડી છે તે રાકવામાં નહિ આવે તે જૈનધમનું ભાવિ જોખમાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org