________________
૬ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન
અને જૈનસંઘ, આપ સર્વને એકત્ર કરવામાં ભાગ્યશાળી નીવડે છે, અને અમે તેને વિશ્વાસ છે કે આપશ્રીના નિર્ણ જેનસાશનને અત્યંત ગૌરવવંતુ બનાવી અને તથા ભવિષ્યની પ્રજાને ગ્ય માર્ગદર્શન આપવામાં સફળ થશે.
આપ સર્વેને એકત્ર કરવાના પ્રયત્નમાં મારા તરફથી કાંઈક વિવેકની ઉણપ અગર ક્ષતિ થઈ હોય તે સારૂ આપ સર્વેની ક્ષમાપન ચાહું છું. - હું શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને વિનંતિ કરું છું કે તેઓશ્રી આ અવસરે આ સંમેલનને સંબોધતું પ્રવચન કરે, તેવી અમે સર્વેની ઈચ્છાને માન આપે. અને પૂજ્ય આચાર્ય ભગવંતેને વિનંતિ કરું છું કે-શેઠશ્રી કસ્તુરભાઈના પ્રવચન બાદ તેઓની મંત્રણાઓ સારૂ સાથેના મકાનમાં પધારે.
આ સંમેલન માટે મને પ્રેરણા આપનાર તથા મદદ કરનાર ભવ્યઇને આભાર માનું છું.
' આ પછી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાનું નીચે મુજબ - નિવેદન વાંચી સંભળાવેલ. " શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું નિવેદન.
પૂજ્યપાદ શ્રી આચાર્ય મહારાજે, પદવીધ તથા મુનિશ્રીઓ!
અમદાવાદના જુદા જુદા ઉપાશ્રયેના વહીવટદારોના પ્રયાસને લઇને આજે રાજનગરના આંગણે બીજી વાર જે મુનિસંમેલન મળે છે તે સારૂ અમદાવાદને શ્રીસંઘવતી હું તેઓને ઉપકાર માનું છું.
આપ પૂજ્ય આચાર્ય ભગવંતે અને મુનિવરોના દર્શનને અમદાવાદના જૈન શ્રીસંઘને જે અમૂલ્ય લાભ મળે છે તેથી અમદાવાદને જૈન શ્રીસંઘ અપૂર્વ આનંદ અનુભવે છે.
દૂર દૂરના દેશમાંથી વિહાર કરી, પરીષહ સહન કરી આપ અત્રે
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org