________________ ર૪ર - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પંભાનવિ.P.–વવૃદ્ધની દષ્ટિએ આ કહેવાય છે. ચંદ્રસાગરસૂરિજી-શ્રમણ સંઘમાં વીણી વીણીને છાતીમાં વાગે તેવું બેલાય તે ઉચિત નથી. હંસલામ - (ભાનુવિને ઉદ્દેશીને) વૃદ્ધ કેણ? તેની વ્યાખ્યા કરે. ચંદ્રસાગરસૂરિજી-પ્રેમસૂરિજીની શી જરૂરી તેમના કરતા લબ્ધિ સૂરિને બન્ને પક્ષ, વૃદ્ધ માને છે માટે તે બાજુથી એક કરી દે. પ્રતાપસૂરિજી-વયને નિર્ણય કરે. જયકીર્તિ-(રામચંદ્રસૂરિના ધસારાથી ઉભે થઈને)-શ્રમણસંઘ સમક્ષ મારી એક વાત છે. આપણે જે કાંઈ કાર્ય ચાલે છે તે સુંદર અને વૈધાનિક રીતે ચાલે તે ઈચ્છનીય છે. આપણે અહિં જ્યારે જ્યારે બોલાય છે ત્યારે ગમે તે ઉભા થઈ બોલે છે, તે ઉચિત ન ખાવું જોઈએ. જે જે બેઠેલા છે તે સૌ પ્રશ્નની વિચારણા જરૂર કરી શકે, પણ બોલનાર વ્યક્તિ તે કમિટિમાંની જ હેવી જોઈએ; પ્રથમ દિવસે ૧૦૦ની સમિતિ નિયુક્ત કરી છે તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે-શ્રમણ સંઘમાં ચર્ચાતા પ્રશ્નો માટે કમિટિમાં હોય તે જ બોલી શકે છે. જે જે પ્રશ્નો ઉભા થાય તેમાં સમિતિમાં હોય તે જ બેલે, તે સિવાયના બેલે તે તેમાં સત્યરીતે તેનું સમાવેશીકરણ ન થાય. સમિતિને એગ્ય લાગે, જરૂર હોય તે સમાવેશ કરી શકાય છે. જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી સમિતિ સિવાયના નામેવાળા જે હેય તે વચમાં ન લે તે જ ન્યાયની દષ્ટિએ સારું ગણાશે. ચીઠ્ઠી લખીને કહી શકે પણ વચ્ચે બોલી ન શકે. અથવા તે વ્યકિતએ સમિતિ આગળ પ્રસ્તાવ મૂક જોઈએ અને સમિતિ જે સમાવેશીકરણ કરે તે જ બોલી શકે. અન્યથા તેને બેલવાને કોઈ રાઈટ નથી. - સૂર્યોદયસામ-આપ કોના માટે આ બધું કહી રહ્યા છે? સમિતિ બહારનું કેણ બેલ્યું છે? તે નક્કી કરો અને પછી ટીકા કરે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org