________________ * પંદરમા દિવસની કાર્યવાહી 241 જ રહે તે માટે તે પાંચની સમિતિ નીમવાની વિચારણા ચાલે છે. પાંચમાંના આપના ત્રણ મહાપુરૂષમાં આપના બધા સમુદાયના મતે આવી જાય છે. કારરિ–ગયા મુનિસંમેલનમાં સમુદાયની દષ્ટિ વગરચારની સમિતિ થયેલ-આપણે સમુદાયની વાત જતી કરવી જોઈએ. પાંચમાં અમારે સિદ્ધિસૂરિને સમુદાય નથી આવતું, છતાં કાર્યસાધકદષ્ટિએ અમે સ્વીકાર્યું છે માટે તે પાંચ કરે તે કબૂલ રાખવું જોઈએ. પ્રતાપરિજી-પુણ્યવિજયજી મહારાજની હવામાં સિદ્ધિસૂરિમ નું નામ નથી આવ્યું તેથી જ એ પાંચ જે કે તેમનું નામ નથી, છતાં સિદ્ધિસૂરિમનું નામ હવે ઉમેરી દેઃ કારસરિ–સમુદાયની વાત નથી. પાંચમાં ચાર બુઝર્ગ છે. અને એક નથી; છતાં પણ શાંતિને માટે અમે ઉદારતા દાખવી છે, એ વાત છે. પ્રતાપસૂરિજી–તે તમારી ધારણા મુજબ સિદ્ધિસૂરિ બુઝર્ગ છે ઉમંગસૂરિ બુઝર્ગ છે; એ તે બાકી ન જ રહેવા જોઈએ ને? - હંસસામ-(કારસૂરિને ઉદેશીને-) આપની ઉદારતા અમારે બીલકુલ ખપતી નથી. એવા અગ્ય વક્તવ્ય અમારા બુઝર્ગોને નબળા પાડવા એ ઉચિત નથી. અમારા પૂજ્ય ગચ્છધિપતિશ્રી, કે જેઓને આપની મમલદક વ્યાખ્યા, બુઝર્ગોમાંથી બાકાત લેખાવી ઉતારી પાડે છે તેઓશ્રી, અમારી દષ્ટિએ તે બુઝર્ગના પણ બુઝર્ગ છે. અમારા ગચ્છાધિપતિશ્રીને બુઝર્ગ તરીકે નહિ સ્વીકારીને બુઝગ તરીકે સ્વીકારવાની ઉદારતા દાખવનાર આપનામાં જે ખરેખરી જ ઉદારતા હોય તે તમોએ કાઢેલા આ નવા મતને છોડી દેવાની ઉદારતા જ બતાવે એટલે બસ છે કે જેથી આ બધી જ ખટપટ આ પળે જ શાંત થઈ જવા પામે. નંદનસૂરિજી– (કારસૂરિને ઉદેશીને) આ છે તો ઉપદેશ આપવા નીકળ્યા છે? ઉદારતા શા માટે? શબ્દ પાછા ખેંચી લે, અને માફી માંગે. 16 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org