________________
| સાતમા દિવસની કાર્યવાહી ક ૧૧૭ કરવામાં આવે એ માટે અનુકૂળ સમિતિની રચના કરવામાં આવે તે જરૂરી છે.
પુણ્યવિકમ -ગઈકાલે વિચારણા કરેલ કે આવતી કાલે એક એક સમિતિ નીમવી અને તે કાયમ માટે નક્કી કરવી, કયી રીતે સમિતિ નીમવી વ્યવસ્થા કેવી રીતે કરવી ? તેની વિચારણા કરવામાં આવે કે-જેથી આ બધા પ્રશ્નોને જલદી નીકાલ થાય. આ સંબંધમાં વિચારણા કરી નક્કી થાય તે વધુ સારું. કેવી રીતે નક્કી કરવી છે?
મૌન શાંતિ પુણ્યવિમ-(ફરી વખત) કયી રીતે સમિતિ નક્કી કરવી? તે જણાવે એટલે નામે નોંધાય. - પં રાજેન્દ્રવિડ D.-સમિતિની રચના એવી રીતે કરવામાં આવે કે આપણું કાર્યની પદ્ધતિ સરળ બને. નાની રચાય તે કાર્ય જલદી પતે. શ્રમણ સંઘે જે ભેગો થયે છે તેની કાર્યવાહી એવી હેવી જોઈએ કે બહાર સારું લાગે. બહાર એવી છાપ ન પડે કે“શમણુસંધ આમ કેમ કરે છે? અથવા શ્રમણસંઘ ભેળે થયે અને કાંઈ ન કર્યું ?” પ્રથમ ૧૦૦ની સમિતિ થઈ પછી સર્વાનુ મતે સમુદાયવાર નક્કી કરવા માટે બે ત્રણ કલાક ઓળાયા, પછી પાછા મીડા પર કેમ આવ્યા? આમ પરિણામમાં શૂન્યતા ન આવે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સમુદાયવાર નામે નેધવા ઠીક લાગે છે. સમુદાયવાર બલ્બ લેવા. પ્રથમ જે ૧૦૦ની સમિતિ નીમાઈ હતી તેમાંથી નાની સમિતિ નીમણું તે ઠીક રહેશે. અને તેને જ કાર્ય સંપવામાં આવે તે સારૂં. તેમાં સુગમતા રહેશે અને કાર્ય જલદી પતશે. મારી આ વિનતિ પર ધ્યાન આપશો. સમિતિની રચના અને તે સંબંધી વિચારણા કરવા માટે નંદનસૂરિઝમ, પ્રતાપસૂરિજી મ, ધર્મસૂરિઝમ, પુણ્યવિજયજીમ આદિ અહિંથી, અને ત્યાંથી જે નામ આવે તે મળી બંને પક્ષે બેસે અને નીકાલ લાવે.
પુન: મૌન શાંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org