SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભયથી નિવારી શકાતા દોષની સંખ્યા કરતાં પ્રશંસા વડે પોષાતા ગુણની સંખ્યા વધુ હોય છે. - સરટીઝ તમારી જાત પાસેથી કામ લેવાનું તમે જો ઈચ્છતા હોય તો તમે તમારા મગજનો ઉપયોગ કરજો. અન્ય પાસેથી કામ લેવા માટે તમારા હૃદયનો ઉપયોગ કરજો. - સ્ટેન્ડ હોલ જેને અંગે પોતે ગૌરવ અનુભવી શકે એવી એકાદ વસ્તુનો પણ અભાવ માનવીનું કદાચ મોટું દુર્ભાગ્ય હશે. - આર્થર મોરગન (એકાંત સમયે જ્યારે મનની ભાવનાઓ શાંત હોય છે ત્યારે તમે તમારી અંદર બુદ્ધિનો ભંડાર ભરી લ્યો. - વર્ડઝ વર્થ માત્ર શ્રદ્ધા વડે તો ઘણું જ અલ્પ સિદ્ધ કરી શકાય છે પણ સમૂળગી શ્રદ્ધા વગર તો કશું જ કરી શકાતું નથી. - વિકટર હ્યુગો કોઈપણ દેશની પ્રગતિ એના ચિંતકોના કેટલા વિચારો યુવાનોના જીવનમાં ચરિતાર્થ થાય છે એના આધારે જ શક્ય બને છે. - સ્વામી સત્યમિત્રાનંદજી મંદિર વિશે શ્રદ્ધાનો જે નાશ કરે છે તે પોતાનો નાશ કરે છે. - ગાંધીજી (૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy