SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે દુઃખ પ્રગટ કર્યું એણે દુઃખમાંથી કંઈ જ ન મેળવ્યું, પ્રગટ કરવા માટે તો સુખ છે, દુઃખ તો સમજવા માટે છે. - ધૂમકેતુ મને જેની જરૂર હોય તે તમે મને આપો. એમાં તમારી ઉદારતા નથી પરંતુ જે વસ્તુની મારા કરતાં તમને વધુ જરૂર હોય છતાં એ વસ્તુ તમે મને આપો એમાં તમારી ઉદારતા છે. - ખલિલ જિબ્રાન કાર્યને વાવશો તો સ્વભાવને લણશો, સ્વભાવને વાવશો તો ચારિત્ર્યને લણશો અને ચારિત્ર્યને વાવશો તો ભાગ્યને લણશો. - જી. ડી. બોર્ડમેન જે મદદ કરવાની વૃત્તિદાખવે છે તેને જ ટીકા કરવાનો અધિકાર છે. - અબ્રાહમ લિંકન કોઈથી ન રક્ષાયેલું હોય છતાં દેવથી રક્ષાયેલું હોય તે પ્રાણી જીવે છે. સારી રીતે રક્ષાયેલું હોય છતાં દૈવથી હણાયેલું હોય તે વિનાશ પામે છે. - પંચતંત્ર અણગમતું કામ આવતીકાલને બદલે આજે જ કરો. એ રીતે એ કામ કરવાના ભયથી ભરેલા ચોવીસ કલાક તમે બચાવશો અને કામ પતી ગયાનો સંતોષ આપનારા ચોવીસ કલાક તમને મળી રહેશે. - બોબ ટોમબર્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy