SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિજ્ઞાનની મદદથી આપણે ધરતીકંપ ક્યારે થશે તે જાણી શકીએ પરંતુ તેવા અનંત પ્રયોગ થાય તો પણ આત્માની શુદ્ધિ થવાની નથી, આત્મશુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી. ઈશ્વરની ઈચ્છા વિના કશું જ બનતું નથી. - મહાત્મા ગાંધીજી જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલિકી અને ધન વૈભવનો ત્યાગ નથી કર્યો તેવો કોઈપણ મનુષ્ય શાસ્ત્રોને ખરા સમજી ન શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. - મહાત્મા ગાંધીજી જીવનપટને સચ્ચાઈ, સાદાઈને સંતોષના તાણાવાણા વડે ગુંથી લેશો તો સુખ સામે પગલે તમને શોધતું આવશે. - સંત પુનિત મહારાજ જેવું ચિતવશો તેવા જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું જ ફળ છે. તમારા વિચારો એ જ તમારૂં પ્રારબ્ધ છે. - સ્વામી રામતીર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરૂષાર્થો પરત્વે તપ અને જ્ઞાનથી જેઓ ધર્યપૂર્વક વર્તે છે. તેઓ જ સંસારના રહસ્યને પામી શકે છે. - ડોંગરેજી મહારાજ (દોરા, ધાગા અને જન્માક્ષરમાં માનનારા અંધશ્રદ્ધામાં રાચે છે. - સ્વામી સચ્ચિદાનંદ ૪૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy