SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી વાત સાચી હોય ત્યાં સુધી તો બહુ વાંધો નથી પણ મારી જ વાત સાચી છે” આવો આગ્રહ જ્યારે ઉભો થાય છે ત્યારે પ્રાયઃ કરીને સંઘર્ષો પણ પેદા થયા વિના રહેતા નથી. ગુંડા પ્રત્યે તિરસ્કાર હોય તો એને પ્રેમથી ઘરમાં જો ન જ બોલાવાય તો પછી પાપ પ્રત્યે તિરસ્કાર હોય તો એને ટેસથી શી રીતે આચરાય? ધન મેળવવા માટે મનને બદલવું જ પડે એવો કોઈ કાયદો નથી પણ ધર્મ સાથે દોસ્તી જમાવવા માટે મનને બદલ્યા વિના ચાલે તેવું જ નથી. મુસીબત વિનાનો પુરૂષાર્થએ સુગંધવિનાના પુષ્પ અને જળ વિનાના મેઘને પેઠે નિરર્થક છે. - બર્નાડ શો બીજાએ દોરી આપેલી આકર્ષક અને સુખદાયક યોજનાથી માનવી | સુખી થતો નથી, પરંતુ માત્ર પોતાની જાત ઉપર જ આધાર રાખીને સુખ તરફ દોરતાં કાર્યો કરનાર જ પોતાનું સુખ પોતાને હાથે સ | છે. આવો માનવી ચારિત્ર્યશીલ અને જ્ઞાની હોય છે. - પ્લેટો. સહાયક વિનાના રાજાને ધ્યેયમાં સફળતા મળતી નથી અને એક પૈડાથી રથ ક્યારેય ચાલી શકતો નથી. - ચાણક્ય આત્મવિશ્વાસ વીરતાનો સાર છે. એમર્સના ( ૪૧ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy