SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે. રોજ નહિ તો ક્યારેક મનુષ્યએ ઊંચા આકાશની ગહેરાઈમાં ડૂબકી લગાવવી જોઈએ. - ખલિલ જિબ્રાન સ્વધર્મ માતા જેવો જન્મપ્રાપ્ત છે. જેવી રીતે માતાની પસંદગી કરવાની હોતી નથી તેમ સ્વધર્મની પસંદગી પણ કરી શકાતી નથી. - પાડુંરંગ આઠવલેજી. સુખ અને દુઃખ બંને અસ્થિર સ્વભાવનાં છે પણ તેમાં દુઃખનું આયુષ્ય સુખ કરતાં ટૂંકું છે માટે દુખ પડે ત્યારે ગભરાઈ જવાની જરૂર નથી. - જુબર્ટ હે પરમાત્મા! મને એવી આંખ આપ કે જે સંસારના સઘળાં પદાર્થોને પ્રેમની દ્રષ્ટિથી જુએ. - વેદ અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. - ગાંધીજી (કસોટી હીરાની થાય છે, કોલસાની થતી નથી. જીવનનું રસાયણ હંમેશા સુખકર હોતું નથી કારણ કે સુખ એ જીવનનું લક્ષ્ય નથી. સર્વરસનું સમતાપૂર્ણ અનુભવ જગત એ જ તો આત્માની માનવીય અનુભૂતિ છે. (જેવું ચિંતવશો તેવા જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું જ ફળ છે. તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે. - સ્વામી રામતીર્થ (૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy