SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ વધ્યું નથી, સહન શક્તિ ઘટી છે.. એટલે દુઃખ વધુ લાગે. ઘરમાં દીવાલ ભલે હોય, ઘરમાં રહેનારના દિલ વચ્ચે દીવાલ ન ચણાય તેની કાળજી રાખવી. જગતનાં હિત કે નુકશાન કરનાર મુખ્ય વસ્તુ ‘અભિપ્રાય’ છે. વસ્તુઓ વિશેના આપણાં ખોટા અભિપ્રાયો જ આપણી બરબાદી કરે છે. માર્કસ એન્ટોનિયસ હે લક્ષ્મણ, જેમ શરદ ઋતુમાં કોઈક જ જગ્યાએ વરસાદ પડે છે તેમ મારી ભક્તિ કોઈક જ પામે છે. ભક્તિ વિરલ સુયોગ છે. - રામચરિત માનસ · નિરંતર વહેતા રહેતા ઝરણાંને જોઈને સતત આનંદના અનુભવ કરતા પંખીઓનું જીવન મનુષ્યથી વધુ ધન્ય છે. જે મજા ઝરણાંમાં છે તે નદી કે સમુદ્રમાં નથી આ રહસ્ય પ્રકૃતિએ કેવી ખૂબીથી છુપાવ્યું છે. - ખલિલ જિબ્રાન દુર્ભાગ્ય છે એ માણસનું જેને દીર્ઘદૃષ્ટિ અને કરકસરનું ભાન નથી. શ્રદ્ધા પ્રાર્થના પ્રેરે છે. પ્રાર્થના હૃદય વિશુદ્ધ કરે છે, પવિત્ર હૃદયમાં પરમતત્ત્વનો અજવાસ પ્રસરે છે અને એમ જીંદગી પ્રસન્નતાથી છલકી ઉઠે છે. - અનુશ્રુતિ ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી થતી નથી, પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે. સ્વામી વિવેકાનંદ Jain Education International ૧૬૧ - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy