SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણ પણ સાહિત્ય, કલા આદિ અનેક માધ્યમોની જેમ પરકાયા પ્રવેશની અધ્યાપકને મળેલી અણમોલ ભેટ છે. પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણનું માળખું અલગ અલગ એકમ તરીકે ન રહેતા, એક સજીવ દેહના એકબીજા સાથે સંલગ્ન એવા જુદા જુદા ચેતનાભર્યા અંગોરૂપ હોવું જોઈએ. - સ્નેહ રશ્મિ જેનામાં માનવતા નથી તેનામાં જરા પણ ધાર્મિકતા નથી. - અરબી કહેવત' (કદરૂપા મન કરતાં કદરૂપો ચહેરો સારો. - જેમ્સ એલન કોઈપણ હાલતમાં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ કારણ કે બહુરૂપી આકાશ હરક્ષણે હજારો રંગ બદલે છે. - હાફીઝ કાંઈ પણ ન કરવું એ ખોટું કૃત્ય કરવાની શરૂઆત અથવા તો ઉમેદવારી છે. - ડબલ્યુ. એફ. ફેફટસ (સમાજની વ્યાખ્યા શી છે? સાચી સમજ ધરાવે તે સમાજ બાકીનું તો ટોળું. - સોક્રેટીસ (દયા કરવી એટલે ઊંચે જવું, પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું. - સંત તુલસીદાસ ધીરજ અને ખંત હોય તો બધી જ પ્રાર્થનાઓ સફળ નીવડે છે. - ગાંધીજી (૧૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy