SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ | જીવનની મહત્ત્વની ચીજો એકત્ર કરવાનું શ્રેષ્ઠ સ્થાન માનવ હૃદય છે. તે - રુડપાઈ કિપ્લિગ માનવ જાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી, તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે. - જે. કૃષ્ણમૂર્તિ ધર્મજીવનથી અલગ નથી, જીવન એ જ ધર્મ છે. ધર્મવિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુજીવન છે. - ગાંધીજી જીભનું મૌન એ સાચું મૌન નથી, મનને પણ મૌનની દીક્ષા આપવી જોઈએ. - મહાવીર સ્વામી જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે. - થિયોડૉર પાર્કર પોતાના સંતાનોને જે ઉદ્યમીપણાની ટેવો પાડે છે, મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. - બ્લેટલી પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે. - સ્વામી વિવેકાનંદ સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દિવાદાંડી એટલે પુસ્તકો. - ઈ. પી. વિપિલ (૧૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy